![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું વેક્સિનની એક ડોઝ લીધેલી વ્યક્તિમાં સંક્રમણનું વધુ રહે છે જોખમ, જાણો એક્સ્પર્ટનો મત
શું ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણની એ લોકોમાં વધુ આશંકા છે. જેમને માત્ર કોરોના રસીનો એક ડોઝ લીધો છે?
![શું વેક્સિનની એક ડોઝ લીધેલી વ્યક્તિમાં સંક્રમણનું વધુ રહે છે જોખમ, જાણો એક્સ્પર્ટનો મત Wearing mask a mandatory precaution after vaccination of both doses know the expert comment શું વેક્સિનની એક ડોઝ લીધેલી વ્યક્તિમાં સંક્રમણનું વધુ રહે છે જોખમ, જાણો એક્સ્પર્ટનો મત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/cf4ce13e6bb3f424c33c98ab3a250cd7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus:દુનિયાભરમાં વેક્સિનના બંને ડોઝ લીધા બાદ માસ્ક કેટલું જરૂરી તે વિશે હજું સુધી કોઇ સ્પષ્ટ મત સામે નથી આવ્યો. નિષ્ણાતોના મત પણ આ મુદ્દે વિભિન્ન છે. શરૂઆતના રિસર્ચમાં પહેલા ડોઝ બાદ કોરોના સંક્રમણનું જોખમ છે.
કોરોનાના કેરને રોકવા માટે દુનિયાભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ભારતમાં લગભગ 44 કરોડ લોકોને વેક્સિનની એક ડોઝ મળી ચૂકી છે. જો કે સૌથી મોટી ચિંતા એ છે કે, વેક્સિનેશન અભિયાન તેજ કર્યાં બાદ પણ સંક્રમણ રોકાઇ નથી રહ્યું.આ સ્થિતિમાં એક્સપર્ટનો મત છે કે, માસ્ક જરૂર પહેરો. WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) જૂન 2021ના અંતે ફરીથી ઘરમાં પણ માસ્ક પહેરવાન આગ્રહ કર્યો છે. WHOએ એવું પણ કહ્યું કે, બંને ડોઝ લીધા હોવા છતાં પણ બહાર જતી વખતે માસ્ક જરૂર લગાવવું જોઇએ.
બંને ડોઝ લેનાર વ્યક્તિએ પણ માસ્ક પહેરવું જોઇએ?
અમેરિકાના કેટલાક વિસ્તારમાં વેક્સિનેટ લોકોને માસ્કથી મુક્તિ અપાઇ છે. જો કે કેલિફોર્નિયામાં ફરીથી માસ્ક પહેરવાનો આદેશ કર્યો છે. જો કે યૂએસ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન હજું સુધી આ પ્રકારનું વલણ નથી અપનાવ્યું. નેશનલ નર્સેસ યૂનાઇટેડએ સીડીસીઆ સંદર્ભે પુનવિચાર કરવાનો આહવાન કર્યું છે.કેલિફોર્નિયાની વિશ્વવિદ્યાલયના સંક્રામર રોગના નિષ્ણાત પીટર ચિન હોંગનો મત છે કે, વેક્સિનેટ લોકો પણ કોરોનાથી સંક્રમિત થાય છે તેવા કેસ સામે આવતા હોવાથી તેના કારણે જ વેક્સિનેટ લોકોએ માસ્ક લગાવવું જરૂરી છે.
પહેલો ડોઝ લેનારને ડેલ્ટા વેરિયન્ટથી જોખમ
અમેરિકામાં 18 વર્ષથી ઉપર 60 ટકા વસ્તીનું સંપૂર્ણ વેકિસેનેશન થઇ ચૂક્યું છે. જો કે ડેલ્ટા વેરિયન્ટને લઇને હજું લોકોને વધુ શંકા છે. શરૂઆતના આંકડાથી માહિતી મળે છે કે, ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણની એ લોકોમાં વધુ આશંકા છે. જેમને માત્ર કોરોના રસીનો એક ડોઝ લીધો છે.
ફાઇઝર વેકિસનના એક અધ્યયનમાં જોવા મળ્યું કે, ફાઇઝર વેક્સિનની એક ડોઝમાં ડેલ્ટા સંસ્કરણના મુકાબલે લક્ષણ ધરાવતા રોગ સામે માત્ર 34 ટકા અસરકારક હતી. જ્યારે પહેલાના આલ્ફા વેરિયન્ટમાં તે 51 ટકા હતી. બીજી બાજુ સ્કોટલેન્ડ અને અન્ય કેટલાક દેશોના આંકડા પર નજર કરીએ તો ફાઇઝરના બંને ડોઝ ડેલ્ટા વેરિયન્ટ સામે સુરક્ષા આપે છે. કેનેડા અને ઇંગ્લેન્ડના પ્રારંભિક અધ્યયનોમાં શોધકર્તાએ આલ્ફા વેરિયન્ટ સામે 93 ટકા ડેલ્ટા વેરિયન્ટ સામે 88 ટકા વેક્સિન અસરકારક હોવાનું સામે આવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)