શોધખોળ કરો

COVID-19ના અલગ અલગ વેરિઅન્ટ્સની શરીર પર કેવી થાય છે અસર? IIT-ઈન્દોરના અભ્યાસમાં થયો ખુલાસો

આ અભ્યાસના પરિણામો 'લોંગ કોવિડ' ના લક્ષણોને સમજવામાં મદદ કરી શકે છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ઇન્દોર અને IIIT અલ્હાબાદના સંશોધકોએ સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ સંશોધન હાથ ધર્યું છે જેણે કોવિડ-19 ના વિવિધ વેરિઅન્ટ્સ માણસના શરીરને કેવી રીતે અસર કરે છે તે સમજવામાં મદદ કરી છે. આ અભ્યાસ ‘Journal of Proteome Research’ માં પ્રકાશિત થયો છે અને તેમાં, ભારતમાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન 3,134 દર્દીઓના ક્લિનિકલ ડેટાની તપાસ કરવામાં આવી હતી. આ અભ્યાસના પરિણામો 'લોંગ કોવિડ' ના લક્ષણોને સમજવામાં મદદ કરી શકે છે, જેમાં દર્દીઓને ચેપના ઘણા મહિનાઓ પછી પણ થાક, શ્વાસ લેવામાં તકલીફ અને માનસિક મૂંઝવણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સંશોધકો માને છે કે આ લક્ષણો વેરિઅન્ટ્સ દ્ધારા શરીરની અંદર કરવામાં આવેલા ઊંડા ફેરફારોનું પરિણામ હોઈ શકે છે.

કોવિડ દરમિયાન શરીરની અંદર શું થાય છે?

આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દરેક વેરિઅન્ટ શરીરની અંદર અલગ બાયોલોજિકલ સિસ્ટમને અસર કરે છે. કેટલાક વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જ્યારે કેટલાક હોર્મોનલ અને મેટાબોલિક સિસ્ટમ્સ પર ઊંડી અસર કરે છે. સંશોધનમાં મલ્ટી-ઓમિક્સ, રામન સ્પેક્ટ્રોસ્કોપી અને મશીન લર્નિંગ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં રોગની તીવ્રતા સાથે સંકળાયેલા 9 બાયોલોજિકલ માર્કરની ઓળખ કરવામાં આવી હતી.

ડેલ્ટા વેરિઅન્ટ: સૌથી ગંભીર અસર ધરાવતો વેરિઅન્ટ

આ અભ્યાસમાં ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે. આ વેરિઅન્ટ શરીરની ઉર્જા ઉત્પાદન પ્રણાલી (મેટાબોલિક પાથવે) અને હોર્મોન નિયંત્રણ પર સીધો હુમલો કરે છે. આનો અર્થ એ છે કે દર્દીઓ વધુ થાક, હોર્મોનલ અસંતુલન અને લાંબા સમય સુધી ચાલતા લક્ષણોનો અનુભવ કરી શકે છે.

IIT ઇન્દોરના ડૉ. હેમ ચંદ્ર ઝાએ જણાવ્યું હતું કે દરેક વેરિઅન્ટ શરીર પર અલગ અલગ અસર કરે છે, અને ડેલ્ટા સૌથી વધુ અસંતુલનનું કારણ બને છે.

IIT અને IIIT ની શાનદાર ભાગીદારી

આ સંશોધનને સફળ બનાવવામાં બે મુખ્ય સંસ્થાઓએ ફાળો આપ્યો હતો. IIT ઇન્દોરની ટીમે બાયોલોજિકલ ફેરફારોનું મેપિંગ કર્યું હતું. જ્યારે IIIT અલ્હાબાદની ટીમે દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ સહયોગથી પ્રથમ વખત કોવિડ-19 ને માઇક્રોબાયોલોજીકલ સ્તરે (મોલેક્યુલર લેવલ) સમજવાનું શક્ય બન્યું.

ભવિષ્યની આરોગ્ય નીતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા

IIT ઇન્દોરના ડિરેક્ટર પ્રો. સુહાસ એસ. જોશીએ જણાવ્યું હતું કે આવા સંશોધન માત્ર વૈજ્ઞાનિક સમજણમાં વધારો કરતા નથી, પરંતુ ભવિષ્યની આરોગ્ય નીતિઓ અને સારવાર વ્યૂહરચનાઓ સુધારવામાં પણ મદદ કરે છે.

આ અભ્યાસ આપણને સમજવામાં મદદ કરે છે કે કોવિડ માત્ર એક ચેપ નથી, પરંતુ એક જટિલ રોગ છે જે શરીરની ઘણી સિસ્ટમોને અસર કરે છે. દરેક નવો પ્રકાર એક નવો ખતરો અને એક નવો પડકાર લઈને આવે છે, અને આ સંશોધન આપણને વધુ સારી તૈયારી કરવાની તક આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
NEET કૌભાંડનો મોટો ખુલાસો: પેપર લીક કેસમાં ભાજપ નેતા અને તેનો ભાઈ માસ્ટરમાઇન્ડ નીકળ્યા
NEET કૌભાંડનો મોટો ખુલાસો: પેપર લીક કેસમાં ભાજપ નેતા અને તેનો ભાઈ માસ્ટરમાઇન્ડ નીકળ્યા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Embed widget