શોધખોળ કરો
Advertisement
YES BANKને સંકટમાંથી ઉગારવાનો પ્લાન તૈયાર, SBIમાં નહી થાય વિલયઃ શક્તિકાંત દાસ
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કનું ભારતીય સ્ટેટ બેન્કમાં વિલય કરવામાં નહી આવે.
નવી દિલ્હીઃયસ બેન્કને સંકટમાંથી ઉગારવા માટે રિકંસ્ટ્રક્શન પ્લાનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કનું ભારતીય સ્ટેટ બેન્કમાં વિલય કરવામાં નહી આવે.
શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કને લઇને Scheme of reconstructionની જાહેરાત આગામી સપ્તાહમાં થઇ શકે છે. તેમણે કહ્યું કે, યસ બેન્કનું એસબીઆઇમાં વિલયનો કોઇ સવાલ ઉઠતો નથી. આ કલ્પનાથી બહાર છે. યસ બેન્કને ફરીથી ઉભી કરવા માટે કેપિટલ એકઠા કરવા માટે મદદ કરવામાં આવશે.
શક્તિકાંત દાસે કહ્યું કે, એસબીઆઇ તરફથી યસ બેન્કને મદદ કરવામાં આવશે. તે સિવાય અનેક અન્ય રોકાણકારો પણ સામે આવી શકે છે. નોંધનીય છે કે યસ બેન્કના બોર્ડને આરબીઆઇએ ભંગ કરી દીધું છે અને એસબીઆઇના પૂર્વ અધિકારી પ્રશાંત કુમારને એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement