શોધખોળ કરો

Gujarat Rain: જામનગરમાં વરસાદ બન્યો આફત, પાણીમાં ડૂબવાથી પિતા-પુત્ર સહિત 3 લોકોના મોત

Gujarat Rain Update: જામનગર જિલ્લામાં એક તરફ શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે તો 3 લોકોના ડૂબી જવાથી મોતનો માતમ પણ જોવા મળી રહ્યો છે. જામનગરના રણજીત સાગર ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.

Gujarat Rain Update: જામનગર જિલ્લામાં એક તરફ શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે તો 3 લોકોના ડૂબી જવાથી મોતનો માતમ પણ જોવા મળી રહ્યો છે. જામનગરના રણજીત સાગર ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે. પિતા-પુત્રનું ડૂબી જવાથી મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. પિતા આસિફ સેતા અને તેમના પુત્ર નવાજ સેતાનું મોત થયું છે. ફાયર વિભાગને જાણ થતા બન્નેના મૃતદેહો બહાર કાઢી હોસ્પિટલ ખાતે મોકલ્યા છે.

 

તમને જણાવી દઈએ કે, જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પોતાની છલક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર છે. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે. રણજીતસાગર ડેમની જળ સપાટી 26 ફૂટ સુધી પહોંચી છે. જામનગર શહેર અને જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો, જામનગર શહેર 8 ઇંચ, જોડીયામાં 3 ઇંચ, ધ્રોલ 3 ઇંચ, કાલાવડ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.સમાચાર લખાઈ છે ત્યારે જામનગર શહેરમાં છેલ્લા અડધો કલાકથી ફરી ધોધમાર વરસાદ શરુ થયો છે.

જામનગરમાં કિશોર પાણીમાં તણાયો

હવાનાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. જો કે, કેટલાક વિસ્તારોમાં મેઘ કહેર બનીને આવ્યો છે. આજે બોટાદ અને જામનગરમાં એક યુવક અને યુવતીનું મોત થયું છે. જામનગરના ગુલાબનગર નવ નાળા પાસે એક કિશોર પાણીમાં ગરકાવ થયો હતો. આજે બપોરના સમયે યુવક પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યો હતો. આ ઘટનાની જાણ જામનગર ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

તો બીજી તરફ બોટાદમાં ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી થતાં યુવતીનું મોત થયું છે. બરવાળા તાલુકાના વહીયા ગામે આ દુર્ઘટના ઘટી હતી. રહેણાંક મકાનની દિવાલ ધરાશયી થતાં આરતીબેન રમેશભાઈ કતપરા નામની 18 વર્ષીય યુવતીનું મૃત્યુ નિપજ્યું. ગામમાં પ્રવેશવા માટેના એકમાત્ર માર્ગ પરની નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિના કારણે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકી ન હતી. અંતે ગ્રામજનોએ ટ્રેકટર મારફતે કેનાલના રસ્તે થઈ યુવતીને બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. વહીયા ગામના એકમાત્ર મુખ્ય માર્ગના રસ્તા પર વરસાદી પાણીના કારણે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે.

 વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ

ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.

24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે.  

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Embed widget