શોધખોળ કરો

હૈદરાબાદમાં આતંકીઓનું મોટું કાવતરું નિષ્ફળ, રેલી કે જાહેર સ્થળ પર લોન વુલ્ફ એટેકનો હતો પ્લાન, ધરપકડ કરાયેલા આતંકી ઝાહિદનો ખુલાસો

NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણેથી 2 હેન્ડ ગ્રેનેડ, આશરે 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે.

Terrorist Abdul Zahid: ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. હૈદરાબાદમાં 'લોન વુલ્ફ એટેક'ની તૈયારીઓ ચાલી રહી હતી. હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. આઈએસઆઈ અને લશ્કરની કડી પણ સામે આવી છે. પકડાયેલ આતંકવાદી ઝાહીદ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેને હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવામાં આવતા હતા. મળતી માહિતી મુજબ, તેણે હેન્ડલર્સના કહેવા પર ઘણા લોકોની ભરતી પણ કરી હતી. રેલી કે જાહેર સ્થળ પર હુમલો કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. આ બધું પાકિસ્તાનના ઈશારે થઈ રહ્યું હતું. ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું.

આતંકી પાસેથી હેન્ડ ગ્રેનેડ, રોકડ અને ફોન મળી આવ્યા 

જણાવી દઈએ કે NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણામાંથી 2 હેન્ડ ગ્રેનેડ, લગભગ 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝાહીદને અગાઉ 2005માં આત્મઘાતી બોમ્બ ધડાકાના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.  પરંતુ પુરાવાના અભાવે 2017માં તેને છોડી દેવામાં આવ્યો હતો. NIA અનુસાર, ઝાહીદે તેની ગેંગના સભ્યો સાથે મળીને પાકિસ્તાનથી તેમના હેન્ડલર્સની સૂચનાઓના આધારે હૈદરાબાદ શહેરમાં વિસ્ફોટ અને લોન વુલ્ફ હુમલા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડ્યું હતું.

ઝાહીદની ગયા વર્ષે પણ ધરપકડ કરવામાં આવી હતી

એનઆઈએએ જણાવ્યું હતું કે એવું પણ જાણવા મળ્યું હતું કે ઝાહીદને તેના હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળતા હતા અને તે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શહેરમાં જાહેર સભાઓ અને સરઘસોમાં તેને ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબર, 2022ના રોજ હૈદરાબાદ પોલીસે જાહેર સભાઓમાં ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડવા બદલ અબ્દુલ ઝાહીદ, મોહમ્મદ સમીઉદ્દીન અને મેજર હસન ફારૂકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Baba Ramdev : મુસ્લિમ પુરૂષો હિંદુ મહિલાઓનું અપહરણ કરે છે ને આતંક ફેલાવે છે : બાબા રામદેવ

Case Against Baba Ramdev: રાજસ્થાન પ્રવાસે આવેલા યોગ ગુરુ બાબા રામદેવને નમાઝ પર મુસ્લિમ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ મુશ્કેલી ઉભી થઈ છે. બાબાના વિવાદાસ્પદ શબ્દો પર દેશભરમાં રાજકારણ ગરમાવા લાગ્યું છે. રાજ્યમાં પણ ઘણી જગ્યાએ બાબા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. ટોંક કલેક્ટર કચેરીમાં જઈ મુસ્લિમ સમાજ અને વકીલોએ બાબાનો વિરોધ કર્યો અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રાજ્ય લઘુમતી આયોગે પણ બાબાના શબ્દો પર નારાજગી વ્યક્ત કરી છે.

રામદેવે બાડમેરમાં આપ્યું હતું આ નિવેદન 

સ્વામી રામદેવે બાડમેરમાં એક ધાર્મિક સભાને સંબોધિત કરતી વખતે ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ધાર્મિક મંચ પરથી કહ્યું હતું કે, ઈસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાઝ અદા કરવી છે. ફક્ત મુસ્લિમો માટે જ નમાઝ અદા કરવી જરૂરી છે અને નમાઝ અદા કર્યા બાદ તમે જે કરો છો તે બધું જ વાજબી છે. તમે હિંદુ છોકરીઓને ઉપાડી જાવ કે જેહાદના નામે આતંકવાદી બનો તમારા મનમાં જે આવે તે કરો પરંતુ દિવસમાં 5 વખત નમાઝ પઢો. ત્યાર બાદ બધું જ વાજબી બની જાય છે.

રફીક ખાને કહ્યું- 'સુનિયોજીત ષડયંત્ર'

રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું હતું કે, રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી ખૂબ જ શરમજનક છે. કોઈ ધર્મ દુશ્મનાવટ શીખવતો નથી. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા રામદેવ સામે કાર્યવાહી કરવી જોઈએ.

ટોંક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ટોંકના કલેક્ટર પરિસરમાં લોકોએ બાબા રામદેવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રામદેવે સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાનું કામ કર્યું છે. લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રામદેવ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યાર બાદ વકીલો કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બાબા રામદેવ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરતો લેખિત રિપોર્ટ આપ્યો. એસઆઈ નંદ સિંહે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, વકીલોના અહેવાલ પર ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
Embed widget