શોધખોળ કરો

હૈદરાબાદમાં આતંકીઓનું મોટું કાવતરું નિષ્ફળ, રેલી કે જાહેર સ્થળ પર લોન વુલ્ફ એટેકનો હતો પ્લાન, ધરપકડ કરાયેલા આતંકી ઝાહિદનો ખુલાસો

NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણેથી 2 હેન્ડ ગ્રેનેડ, આશરે 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે.

Terrorist Abdul Zahid: ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. હૈદરાબાદમાં 'લોન વુલ્ફ એટેક'ની તૈયારીઓ ચાલી રહી હતી. હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. આઈએસઆઈ અને લશ્કરની કડી પણ સામે આવી છે. પકડાયેલ આતંકવાદી ઝાહીદ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેને હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવામાં આવતા હતા. મળતી માહિતી મુજબ, તેણે હેન્ડલર્સના કહેવા પર ઘણા લોકોની ભરતી પણ કરી હતી. રેલી કે જાહેર સ્થળ પર હુમલો કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. આ બધું પાકિસ્તાનના ઈશારે થઈ રહ્યું હતું. ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું.

આતંકી પાસેથી હેન્ડ ગ્રેનેડ, રોકડ અને ફોન મળી આવ્યા 

જણાવી દઈએ કે NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણામાંથી 2 હેન્ડ ગ્રેનેડ, લગભગ 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝાહીદને અગાઉ 2005માં આત્મઘાતી બોમ્બ ધડાકાના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.  પરંતુ પુરાવાના અભાવે 2017માં તેને છોડી દેવામાં આવ્યો હતો. NIA અનુસાર, ઝાહીદે તેની ગેંગના સભ્યો સાથે મળીને પાકિસ્તાનથી તેમના હેન્ડલર્સની સૂચનાઓના આધારે હૈદરાબાદ શહેરમાં વિસ્ફોટ અને લોન વુલ્ફ હુમલા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડ્યું હતું.

ઝાહીદની ગયા વર્ષે પણ ધરપકડ કરવામાં આવી હતી

એનઆઈએએ જણાવ્યું હતું કે એવું પણ જાણવા મળ્યું હતું કે ઝાહીદને તેના હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળતા હતા અને તે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શહેરમાં જાહેર સભાઓ અને સરઘસોમાં તેને ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબર, 2022ના રોજ હૈદરાબાદ પોલીસે જાહેર સભાઓમાં ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડવા બદલ અબ્દુલ ઝાહીદ, મોહમ્મદ સમીઉદ્દીન અને મેજર હસન ફારૂકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Baba Ramdev : મુસ્લિમ પુરૂષો હિંદુ મહિલાઓનું અપહરણ કરે છે ને આતંક ફેલાવે છે : બાબા રામદેવ

Case Against Baba Ramdev: રાજસ્થાન પ્રવાસે આવેલા યોગ ગુરુ બાબા રામદેવને નમાઝ પર મુસ્લિમ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ મુશ્કેલી ઉભી થઈ છે. બાબાના વિવાદાસ્પદ શબ્દો પર દેશભરમાં રાજકારણ ગરમાવા લાગ્યું છે. રાજ્યમાં પણ ઘણી જગ્યાએ બાબા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. ટોંક કલેક્ટર કચેરીમાં જઈ મુસ્લિમ સમાજ અને વકીલોએ બાબાનો વિરોધ કર્યો અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રાજ્ય લઘુમતી આયોગે પણ બાબાના શબ્દો પર નારાજગી વ્યક્ત કરી છે.

રામદેવે બાડમેરમાં આપ્યું હતું આ નિવેદન 

સ્વામી રામદેવે બાડમેરમાં એક ધાર્મિક સભાને સંબોધિત કરતી વખતે ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ધાર્મિક મંચ પરથી કહ્યું હતું કે, ઈસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાઝ અદા કરવી છે. ફક્ત મુસ્લિમો માટે જ નમાઝ અદા કરવી જરૂરી છે અને નમાઝ અદા કર્યા બાદ તમે જે કરો છો તે બધું જ વાજબી છે. તમે હિંદુ છોકરીઓને ઉપાડી જાવ કે જેહાદના નામે આતંકવાદી બનો તમારા મનમાં જે આવે તે કરો પરંતુ દિવસમાં 5 વખત નમાઝ પઢો. ત્યાર બાદ બધું જ વાજબી બની જાય છે.

રફીક ખાને કહ્યું- 'સુનિયોજીત ષડયંત્ર'

રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું હતું કે, રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી ખૂબ જ શરમજનક છે. કોઈ ધર્મ દુશ્મનાવટ શીખવતો નથી. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા રામદેવ સામે કાર્યવાહી કરવી જોઈએ.

ટોંક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ટોંકના કલેક્ટર પરિસરમાં લોકોએ બાબા રામદેવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રામદેવે સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાનું કામ કર્યું છે. લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રામદેવ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યાર બાદ વકીલો કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બાબા રામદેવ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરતો લેખિત રિપોર્ટ આપ્યો. એસઆઈ નંદ સિંહે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, વકીલોના અહેવાલ પર ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget