![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehsana: ભાજપના નેતાઓ દ્વારા કોલેજમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવતા પ્રિન્સિપાલ આકરા પાણીએ
મહેસાણા: હાલમાં ગુજરાતમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જોકે આ સદસ્યતા અભિયાનમાં વિવાદ પણ સામે આવ્યો છે. બહુચરાજી સરકારી કોલેજમાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદ સામે આવ્યો છે.
![Mehsana: ભાજપના નેતાઓ દ્વારા કોલેજમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવતા પ્રિન્સિપાલ આકરા પાણીએ Principal of Bahucharaji Government College wrote to the police Mehsana: ભાજપના નેતાઓ દ્વારા કોલેજમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવતા પ્રિન્સિપાલ આકરા પાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/61734cb645aa409596c1e570c854bd7c1657467587_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણા: હાલમાં ગુજરાતમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જોકે આ સદસ્યતા અભિયાનમાં વિવાદ પણ સામે આવ્યો છે. બહુચરાજી સરકારી કોલેજમાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈને વિવાદ સામે આવ્યો છે. કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશ જોશીએ બહુચરાજી પોલીસને પત્ર લખ્યો છે. ભાજપના કાર્યકરો સાથે જીતુભાઇ રાવલ નામના ટીઆરબી જવાને પણ કોલેજમાં સદસ્યતા અભિયાન વખતે ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગેરકાયદે પ્રવેશ મામલે યોગ્ય પગલાં ભરવા પ્રિન્સિપાલ દ્વારા માગ કરવામાં આવી છે. નોંધનિય છે કે, ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત બીજેપીના કાર્યકર્તાઓએ બહુચરાજી સરકારી કોલેજમાં પ્રવેશી સદસ્યતા અભિયાન ચલાવ્યું હતું. જેને લઈને વિવાદ સર્જાયો હતો.
તિસ્તા સેતલવાડે ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પાસેથી લાખો રૂપિયા લીધા હોવાનો આરોપ
Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં નવો વળાંક આવ્યો છે. ખોટા સોગંદનામાના કેસમાં તીસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. તિસ્તાની આ જામીન અરજીના વિરોધમાં SITએ સોગંધનામું રજૂ કરેલું છે. SITના આ સોગંદનામમાં મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડની જમીન અરજી સામે આ કેસની તાપસ કરી રહેલી SITએ રજૂ કરેલા સોગંદનામામાં SITએ દાવો કર્યો છે કે તિસ્તાએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તે સમયના પ્રમુખના રાજકીય સલાહકાર પાસેથી પૈસા સ્વીકાર્યા છે, જેનો ઉલ્લેખ સોગંદનામામાં પણ કરવામાં આવ્યો છે. એટલે કે આરોપ સીધો સોનિયા ગાંધીના સલાહકાર રહેલા અહમત પટેલ સામે છે. સોનિયા ગાંધી તે સમયે કોંગ્રેસના પ્રમુખ હતા અને તત્કાલીન રાજકીય સલાહકાર અહમદ પટેલ હતા.
એસઆઈટીના જણાવ્યા પ્રમાણે અહમદ પટેલે તિસ્તાને બે વખત પૈસા આપ્યા હતા. તત્કાલીન રાજકીય સલાહકાર અહમદ પટેલ પાસેથી તીસ્તા સેતલવાડે સર્કિટ હાઉસમાં પૈસા સ્વીકાર્યા હોવાની સાબિતી અને સાક્ષી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આરોપ લગાવ્યો છે કે, તિસ્તાએ અહમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. તિસ્તા સેતલવાડની આ બાબતે ભૂમિકા અંગેની તપાસ નાજુક તબક્કામાં હોવાની એસઆઇટીએ રજૂઆત કરી છે. આરોપી સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તેવા અને પુરાવાનો નાશ કરી શકે તેવા હોવાથી જામીન નહીં આપવા સોગંદનામામાં રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચો...
CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ
CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)