![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોનાના કારણે 24 કલાકમાં જ 9નાં મોતથી ખળભળાટ, જાણો સરકારે શું કહ્યું ?
કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા નોંધાઈ રહ્યા છે.
![સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોનાના કારણે 24 કલાકમાં જ 9નાં મોતથી ખળભળાટ, જાણો સરકારે શું કહ્યું ? 9 killed in 24 hours due to corona in rajkot district of Saurashtra, find out what the government said? સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોનાના કારણે 24 કલાકમાં જ 9નાં મોતથી ખળભળાટ, જાણો સરકારે શું કહ્યું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/20/877adc93120d64fa07779b83632743eb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 દર્દીનાં મોત થતાં ખળભળાટ મચી ગયો છે.
જો કે સત્તાવાર રીતે એવું કહેવાયું છે કે, કોરોના (corona virus)ના કારણે થયેલાં મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે એ જોતાં સત્તાવાર રીતે મોતનો આંકડો ઓછો બતાવાય એવી શક્યતા છે. રાજકોટમાં ગઇ કાલે સોમવારે કોરોનાના કારણે 3 દર્દીના થયાં હતાં. આ મોત પૈકી 1 દર્દીનું કોરોનાથી થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ જાહેર કર્યો છે.
કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5, સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં 1 મોત સાથે કુલ 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43, ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13, ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે.
સુરત કોર્પોરેશનમાં 601, અમદાવાદ કોર્પોરેશનમાં 578, વડોદરા કોર્પોરેશનમાં 160 , રાજકોટ કોર્પોરેશનમાં 123, સુરત 101, રાજકોટ 25 લોકો ડિસ્ચાર્જ થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)