શોધખોળ કરો

Rajkot: ચોરની બાતમી મળતા તપાસમાં ગયેલા પોલીસકર્મીનું ટ્રેન નીચે કપાઈ જતા મોત, પરિવારમાં આક્રંદ

રાજકોટ રેલ્વે સ્ટેશન  પર અમદાવાદ-સોમનાથ ટ્રેન નીચે કપાઈ જતા  રેલવે પોલીસકર્મી મનસુખભાઈ જીંજરીયા (ઉ.વ.42)નું કમકમાટીભર્યું મોત થયું છે.

રાજકોટ : રાજકોટ રેલ્વે સ્ટેશન  પર અમદાવાદ-સોમનાથ ટ્રેન નીચે કપાઈ જતા  રેલવે પોલીસકર્મી મનસુખભાઈ જીંજરીયા (ઉ.વ.42)નું કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટનાને લઈ પોલીસ વિભાગમાં ગમગીની વ્યાપી ગઈ છે.  રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું કે મનસુખભાઈ આ પહેલા  પોપટપરા માઉન્ટેડ પોલીસ લાઈનમાં રહેતા હતા. થોડા સમય પહેલા જ આજી ડેમ પાસેના માંડાડુંગર પાસે નવું મકાન લીધુ હતું અને તેઓ  ત્યાં રહેવા આવ્યા હતા.

આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની બાતમી

અહેવાલ અનુસાર,  રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મનસુખભાઇ વિરજીભાઇ જીંજરિયા (ઉ.વ.42) શનિવારે રાત્રે બે વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે પોલીસ સ્ટેશને સાથી કર્મચારી એએસઆઇ પરેશભાઇ ડોડિયા હાજર હોય તેમણે મનસુખભાઈને પૂછ્યું કે, અત્યારે કેમ આવ્યા ? તમારી તો સવારની ડ્યુટી છે ? જેથી મનસુખભાઇએ કહ્યું હતું કે, મોબાઇલ ચોરીની તપાસ તેમની પાસે છે. જેનો આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની બાતમી  મળી છે. મોબાઈલ ચોરની બાતમી મળતા તપાસમાં ગયેલા પોલીસમેનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અકસ્માતનો છે કે પછી કોઈએ ધક્કો માર્યો? તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

ટ્રેન સ્ટેશન પર આવી ગઇ છે. આરોપીને પકડવા જાવ છું, જરૂર પડશે તો તમને મદદ માટે બોલાવીશ. તેમ કહીં તે જતા રહ્યા હતા. 10 મિનિટ પછી એએસઆઇ ડોડીયા પોલીસ સ્ટેશનમાં જ બેઠા હતા ત્યાં સ્ટેશન માસ્ટરનો મેમો આવ્યો અને કોઈ ટ્રેન હેઠળ કપાઈ ગયું હોય તેવી જાણ કરાઈ હતી. પરેશભાઈ ડોડીયા ત્યાં પહોંચીને જોતા મનસુખભાઇનો મૃતદેહ બે કટકા થયેલી હાલતમાં પડ્યો હતો.

ચોરીના બે કેસની તપાસ તેઓ કરી રહ્યા હતા

મનસુખભાઈ રાત્રે નોકરી પર હતા. હાલમાં ચોરીના બે કેસની તપાસ તેઓ કરી રહ્યા હતા. આ તપાસના કામે રેલવે પોલીસ મથકથી પ્લેટફોર્મ પર ગયા હતા. જતા પહેલા સાથી કર્મચારીઓને તપાસમાં જાઉ છું, જરુર પડે એટલે ફોન કરી બોલાવી લેવા કહ્યું હતું. અમદાવાદ-સોમનાથ ટ્રેન આવતા તેમાં ચડવા કે ઉતરવા જતાં ટ્રેનની નીચે આવી જતા શરીરના બે કટકા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનાને લઈ સ્ટેશન માસ્તરે જાણ કરતા રેલ્વે પોલીસ આવી ગઈ હતી અને પોતાના સાથીનો મૃતદેહ જોઈ આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ હતી. 

મનસુખભાઇની ફરજનિષ્ઠ કર્મચારી તરીકેની છાપ


મનસુખભાઇની ફરજનિષ્ઠ કર્મચારી તરીકેની છાપ હતી. તેમના નિધનથી પોલીસ બેડામાં શોક છવાયો હતો. મૃતક મૂળ વિંછીયાના ગુંદાળા ગામના વતની હતા. ત્યાં તેમના માતા-પિતા, ભાઈઓ સહિતનો પરિવાર ખેતી કરે છે. મૃતક મનસુખભાઈએ એક વર્ષ પહેલા જ આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર વિસ્તારમાં તિરૂમાલા પાર્કમાં નવું મકાન ખરીદ્યું હતું. અહીં તેઓ પત્ની અને બે પુત્રી તેમજ 10 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. આશરે 15 વર્ષથી તેઓ પોલીસ વિભાગમાં સેવા આપતા હતા. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
Embed widget