શોધખોળ કરો

દેવાયત ખવડે જેલમાંથી બહાર આવતા જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા

દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે.  મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો.

રાજકોટ:  દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે.  મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો.  આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.  

જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તેણે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ મયુરસિંહ રાણા ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક હુમલો કર્યો હતો. જે અંતર્ગત દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આઇપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા બાબતે દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.

શાયરાના અંદાઝમાં વાતચીત 

દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો હતો.  ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી. અમૃત ઘાયલની રચના કહેતા તેણે શેર કહ્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’.

આ સાથે જ તેણે પોતાના પર લાગેલા આક્ષેપ મામલે જણાવ્યુ હતુ કે, ‘આગામી સમયમાં હું કેટલાક ખુલાસા કરીશ તેમજ સમય આવ્યે જવાબ આપીશ.’ ત્યારે આગામી સમયમાં દેવાયત ખવડ દ્વારા કયા પ્રકારના ખુલાસાઓ કરવામાં આવે છે તે જોવું અતિમહત્વનું બની રહેશે. તો સાથે જ હાઇકોર્ટ દ્વારા જે શરત મૂકવામાં આવી છે તે અનુસાર તે રાજકોટ સ્થિત આગામી છ માસ સુધી પોતાના ઘરે પણ નહીં રહી શકે. 

જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે

જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે.  ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-Israel Iran Attack: ખામેનીના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં અરાજકતા! અમેરિકી દૂતાવાસ પર હુમલો, 8 લોકોના મોત
US-Israel Iran Attack: ખામેનીના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં અરાજકતા! અમેરિકી દૂતાવાસ પર હુમલો, 8 લોકોના મોત
Embed widget