શોધખોળ કરો

Gujarat Congress: ભાજપમાં જોડાવાના અહેવાલ વચ્ચે લલિત વસોયાએ કર્યો ધડાકો, જાણો કઈ પાર્ટી તરફથી લડશે ચૂંટણી

વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક રાજકોટ ખાતે મળી હતી. જેમાં સૌની નજર ધોરાજીના ઘારાસભ્ય લલિત વસોયા પર હતી. વસોયા સહિતના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાવાની વાતો સામે આવી છે.

Gujarat Congress: વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક રાજકોટ ખાતે મળી હતી. જેમાં સૌની નજર ધોરાજીના ઘારાસભ્ય લલિત વસોયા પર હતી. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી વાતો સામે આવી રહી છે કે, લલિત વસોયા સહિતના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાવાની છે. જો કે આ વાત અંગે ધારાસભ્ય લલિત વસોયાએ ખુલાસો કર્યો છે.

 

રાજકોટમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મારો નિર્ણય ડંકાની ચોટ પર હોય છે. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું અને કોંગ્રેસમાં જ રહીશ. 2022મા કોંગ્રેસે ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે તો લડીશ નહીંતર કાર્યકર્તા તરીકે કામ કરીશ. રાજકોટ-ધોરાજીમાં લગાડવામાં આવેલા પોસ્ટરને લઇને લલિત વસોયાએ કહ્યું કે. હું જન્માષ્ટમી પર્વ પર રાજકારણ કરવા માંગતો નથી. જ્યારે પણ પક્ષ છોડવો હશે ત્યારે ડંકાની ચોટ પર કહીશ.

જો કે આજે આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હાજર રહી શક્યા નહોતા. ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ શક્યું નહોતું. આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા અશોક ગહેલોત. વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બેઠકો યોજાવાની હતી. જો કે વરસાદના કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. જેથી ગુજરાત પ્રભારી ડો.રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખારામ રાઠવાની હાજરીમાં બેઠક શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી માટે રણનીતિ બનાવવાથી લઈને ઉમેદવારો નક્કી કરવા સુધીની ચર્ચા બેઠકમાં થઈ હતી. નોંધનિય છે કે, અશોક ગેહલોતને મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપાઈ છે.

રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર જોનની બેઠક હેમુ ગઢવી હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાંસદો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રામ કિશન ઓઝા, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, હર્ષદ રીબડિયા, ચિરાગ કાલરીયા, અંબરીશ ડેર, ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં શક્તિસિંહે આમ આદમી પાર્ટી પર નિશાન સાંધ્યું હતું. આમ આદમી પાર્ટીનું સાચું નામ અમીર આદમી પાર્ટી છે.  શક્તિસિંહે કાર્યકર્તાઓને ટકોર કરતા કહ્યું કે, જે લોકો નારાજ હોય તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરે. નારાજ નેતાઓએ વિચારધારા ન છોડવી જોઇએ. કાર્યકર્તાઓએ એકબીજાને ખેંચવામાં પોતાની તાકાત ન બગાડે, ભાજપ સામે પોતાની તાકાત વ્યક્ત કરે. આ ઉપરાંત પરેશ ધાનાણીએ પણ કેટલીક ટકોર કરી હતી. રાજકોટમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જાહેરમાં લલિત કગથરાને કહ્યું કે. જાવ તો કહેતા જજો ,ખોંખારો ખાઈને કહેતા જજો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Embed widget