શોધખોળ કરો

ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન, આજે નિકળશે અંતિમયાત્રા

છેલ્લા ઘણા સમયથી બિમાર ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. કેન્સરની બિમારીને કારણે છેલ્લા ઘણાં સમયથી પથારીવશ હતા.

રાજકોટઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી  વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. છેલ્લા ઘણાં સમયથી તેઓ પથારીવશ હતા. આવતી કાલે જામકંડોરણા ખાતે તેમના નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રા નીકળશે.વિઠ્ઠલભાઈના નિધનને પગલે જેતપુર-જામકંડોરણા અને ધોરાજી પંથકના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી શોક વ્યક્ત કર્યો છે. રાદડિયાના નિધન અંગે તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વીટ કરીને લોકોને જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે. અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થી બપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા ખાતે રાખેલા છે. સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણાથી નીકળશે. ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિઠ્ઠલ રાદડિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ગુજરાતે એક ખેડૂત નેતા ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. વિઠ્ઠલભાઇને કેન્સર જેવો જટિલ રોગ લાગતા આજ વર્ષમાં અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી. ત્યાં ઓપરેશન કરાવ્યું હતું. મોઢામાં કેન્સરનો રોગ લાગ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેમની ટ્રીટમેન્ટ ચાલું હતી. વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં જન્મ થયો હતો. વિઠ્ઠલભાઇએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા, દ્વારકા, હરિદ્વાર, મથુરા, દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી રહ્યાં છે. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર ચલાવે છે. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઇ સવજીભાઇ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જામકંડોરણા, માતૃશ્રી જયાબેન સવજીભાઇ ભાલાળા ક્ન્યા છાત્રાલય રાજકોટ સહિતની સંસ્થાઓ ચલાવી રહ્યાં છે. રાજકીય સફર તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987) ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009) ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998) સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998) રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003) રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી) ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી) સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2019)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget