શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં ફરાળી વાનગીઓમાં ભેળસેળ, આરોગ્ય વિભાગના દરોડામાં જાણો શું થયો ખુલાસો ? 

જય સીયારામ ડેરી, ખુશ્બુ ગાંઠિયા, ભગવતી ફરસાણમાંથી 178 કિલો પેટીસનો નાશ કરાયો છે.  લોટ સહિતની ચીજ વસ્તુમાં પણ ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા નમૂના લઈ નોટિસ ફટકારવામાં આવી છે. 

રાજકોટ: રાજકોટમાં શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  ફરાળી વાનગીઓમાં વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદના પગલે આરોગ્ય વિભાગની ટીમે અલગ-અલગ પાંચ ડેરીઓમાં દરોડા પાડ્યા હતા.  આરોગ્ય વિભાગની ટીમની  તપાસમાં ફરાળી પેટીસમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.  

જય સીયારામ ડેરી, ખુશ્બુ ગાંઠિયા, ભગવતી ફરસાણમાંથી 178 કિલો પેટીસનો નાશ કરાયો છે.  લોટ સહિતની ચીજ વસ્તુમાં પણ ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા નમૂના લઈ નોટિસ ફટકારવામાં આવી છે.  

રાજકોટ શહેરમાં અવાર-નવાર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન અનેક દુકાનો અને ડેરીઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવે છે. 

માધાપર ચોકડીએ બેફામ કારે અકસ્માત કર્યો 

રાજકોટમાં  બેફામ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જાવાની બે ઘટના બની હતી. માધાપર ચોકડી નજીક ભારત સરકાર લખેલી ઇન્કમટેકસની  ઈનોવા કારના ડ્રાઇવરે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કારને મોટાપાયે નુકસાન થયું હતું. કાર અને  ટુ વ્હીલરને ઉડાવ્યા બાદ કાર સાઇડમાં ધકેલાઇ ગઇ હતી અને કારની આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ  અકસ્માતની ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. સ્થાનિક લોકોના  જણાવ્યા અનુસાર કારનો ચાલક ચિકકાર દારૂ પીધેલો હોવાનું  સામે આવ્યું હતું. 

રાજકોટના માધાપર ચોકડી નજીક બપોરે આ અકસ્માતની ઘટના બની હતી. GJ 18-BT-4183 નંબરની ઇનોવા કારના ચાલકે બેફામ ઝડપે એક ટુ વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ રસ્તા પરથી નીચે ઉતરીને રોંગસાઇડમાં કાર અને કેબીન સાથે અથડાઇ હતી. આ અકસ્માતના પગલે માધાપર ચોકડી નજીક લોકોના ટોળા  ઉમટી પડ્યા હતા.

આ અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કાર ચાલક દારૂના નશામાં હોવાનું જણાવ્યું છે. અકસ્માત સર્જનાર કારમાં ભારત સરકાર લખેલું હતું ઉપરાંત સહાયક ઇન્કમટેકસ કમિશનરનું બોર્ડ પણ મળી આવ્યું હતું.  આ બનાવ અંગે સ્કુટર ચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી.  જેને પગલે પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.  

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget