શોધખોળ કરો

'ક્ષત્રિયોમાં બે ફાંટા' - પીએમની ગુજરાતમાં એન્ટ્રીથી ચિત્ર બદલાયું, 15 રાજવી પરિવારો ભાજપના સમર્થનમાં ઉતર્યા

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની બહેનો માટે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મામલે રોષ ઉગ્ર બન્યો છે

Lok Sabha Election: ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિયો રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં જબરદસ્ત આંદોલન કરી રહ્યાં છે. ઠેર ઠેર શપથ અને સોગંધ લેવડાવાઇ રહ્યાં છે કે, આ લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ જંગી મતદાન કરવામાં આવે. આ તમામ કાર્યક્રમ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ હેઠળ થઇ રહ્યો છે, પરંતુ હવે ક્ષત્રિય સમાજ બે ભાગમાં વહેંચાઇ ગયો હતો, તેમ લાગી રહ્યું છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતના 15 જેટલા રાજવી પરિવારો અને 46 જેટલા રાજવીએઓ ભાજપ અને નરેન્દ્ર મોદીને આ મુદ્દે ખુલ્લુ સમર્થન આપ્યુ છે. આ બાબલે આજે રાજકોટના રાજવી પેલેસમાં એક બેઠક મળી હતી. 

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની બહેનો માટે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મામલે રોષ ઉગ્ર બન્યો છે. છે બે મહિનાથી ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ અને બેઠકો કરીને ભાજપ અને રૂપાલા વિરૂદ્ધ મતદાન કરવાનું આહવાન કરી રહી છે. પરંતુ હવે નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા બાદ ચિત્ર બદલાઇ ગયુ છે. હાલમાં જ ગુજરાતના 15 જેટલા રાજવી પરિવારો અને 46 જેટલા રાજવીઓએ ભાજપ અને નરેન્દ્ર મોદીને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ છે, આ માટે 15 જેટલા રાજવીઓ દ્વારા લેટર અને સપોર્ટ મળ્યા છે. 

આજે રાજકોટમાં રાજવી પેલેસમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ પંથકના રાજવીઓ એકઠા થયાં હતા, જેમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી સત્યરાજીતકુમાર ખાચર, પાળિયાદના ભયલુબાપુ, ચોટીલા સ્ટેટ મહાવીરભાઇ ખાચર સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યાં, રાજકોટના રાજવી, કચ્છના મહારાણી, ભાવનગરના રાજવી, ગોંડલ સ્ટેટ, દાંતા સ્ટેટ, સહિતના રાજવીઓએ ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે. આ તમામે ભાજપ અને નરેન્દ્ર મોદીને ખુલ્લુ સમર્થન આપ્યુ છે, લગભગ 15 જેટલા રાજવીઓ લેટર સાથે પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ. 

આ દરમિયાન રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ વડાપ્રધાનના વખાણ કર્યા અને કહ્યું કે, વડાપ્રધાન 16 થી 18 કલાક સતત કામ કરી રહ્યાં છે. 2024માં આપણે બધા સાથે મળીને ફરીથી ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીએ. વડાપ્રધાને અનેક મંદિરોનો જીર્ણોધ્ધાર કર્યો છે. ખાસ વાત છે કે રાજકોટ સહિત ગુજરાત રાજ્યના 46 જેટલા રાજવીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. તેમને જણાવ્યુ કે, આ વખતે કમળના ફૂલને મત આપીએ, એ મત સનાતન ધર્મ અને વડાપ્રધાનને જાય છે.

ઉલ્લેખનીય છે કે, એકબાજુ ગુજરાતમાં રાજવી પરિવારો ખુલ્લેઆમ ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનામાં ઉતર્યા છે, તો વળી બીજીબાજ ક્ષત્રિય સંકલન સમિતિ સતત વિરોધ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની સાથે જ ક્ષત્રિયોમાં બે ફાંટા પડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget