શોધખોળ કરો

કોરોનાથી પણ ખતરનાક રોગના ઇન્જેક્શન મુદ્દે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે શું આપ્યું મોટું નિવેદન?

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ  છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હવે કોરોના પછી મ્યુકોરમાઇકોસિસે પણ કહેર મચાવ્યો છે. રાજકોતમાં મ્યુકોરમાઇકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દીને જોખમ ખૂબ જ વધી જાય છે અને બચવાની શકયતાઓ ખૂબ જ ઓછી છે. છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો છે.

આ રોગના રોકવા માટે મુખ્ય ઇન્જેકશન જ રાજકોટમાં ક્યાંય ન હોવાના અહેવાલ સામે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ઇન્જેશન ન હોવાથી દર્દીના સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જોકે, આ ઇન્જેક્શનને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ  છે. નોંધનીય છે કે, એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન દ્વારા મ્યુકરમાઇકોસિસની સારવાર કરવામાં આવે છે. 

રાધેશ્યામ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, મ્યુકરમાયકોસીસના કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને પણ અસર થાય તો તેની પણ સારવાર કરવામાં આવશે.

રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઇકોસીસ માટે આજથી અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. મનોચિકિત્સક વોર્ડમાં 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી છે.

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના 50 દિવસમા 100 કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે 20ના મોત થયા છે. સ્ટિરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દીઓ માટે વધુ જોખમી સાબિત થાય છે મ્યુકોરમાઈકોસિસ.કોરોનાના પ્રથમ વેવમાં કોરોના થયા બાદ દોઢથી બે મહિને લક્ષણ દર્દીઓને  દેખાતા હતા. બીજા વેવમાં 15 થી 30 દિવસમાં લક્ષણો દેખાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે

વિડિઓઝ

Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
એક ભૂલ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રદ! હવે ચલણની સાથે નંબર પણ કપાશે, લાઈસન્સ માટે આવી રહી છે નવી સિસ્ટમ 
એક ભૂલ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રદ! હવે ચલણની સાથે નંબર પણ કપાશે, લાઈસન્સ માટે આવી રહી છે નવી સિસ્ટમ 
Embed widget