શોધખોળ કરો

Rajkot: બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને પગલે શરૂ થયો વિવાદ, જાણો કોણે બાબાને ગણાવ્યા તાંત્રિક?

બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે

Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે.

બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો.

એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.

Rajkot: રામાપીર ચોકડી પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાએ શું આપ્યું નિવેદન ?

Rajkot News:  રાજકોટ રામાપીર ચોકડીનો પુલ પાસે તાજેતરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી કારે લકઝરી કારે યુવકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. જોકે હજુ સુધી કારચાલક પકડાયો નથી. આ ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, આ બાબતે હું પોલીસ કમિશનર સાથે વાતચીત કરીશ. હાઇ પ્રોફાઈલ કેસ હોય કે સામાન્ય કેસ તટસ્થ તપાસ થવી જોઈએ. થોડા સમય પહેલા મહાનગરપાલિકાની બેદરકારીમાં એક રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું ત્યારે પણ મેં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત કરી અને તટસ્થ તપાસની માંગ કરી હતી.

પરેશ ડોડીયાની માલિકીની મર્સિડીઝ કારની ઠોકરે મયુર તન્ના નામના યુવાનનું મોત થયું હતું. કાર માલિક પરેશ ડોડીયા અને તેના ભત્રીજાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કાર માલિકે પોલીસ નિવેદનમાં કાર ભત્રીજો લઈને ગયો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે કાર માલિક પરેશ ડોડીયાના ભત્રીજાની પૂછપરછ કરતા, એક્સિડન્ટ કરનાર મર્સિડિઝ કાર પરેશ ડોડીયાનો ડ્રાઈવર ભોલો લઈને ગયો હોવાનું અને તેનાથી અકસ્માત થયો હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસ દ્વારા કાર ખરેખર કોણ ચલાવતું હતું તેની તપાસ માટે ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે.  ઘટનાને 48 કલાક છતા હજુ એક પણ વ્યક્તિની અટકાયત કે ધરપકડ કરવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે મૃતકના પરિવરજનોએ ગઈકાલે ન્યાય માટે મીડિયા સમક્ષ પોકાર કર્યો હતો.

રાજકોટ મનપામાં આગામી 19 જૂને યોજાશે શિક્ષણ સમિતિની ચૂંટણી

રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર છે. આગામી 19 જૂને શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ અંગે મનપાએ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. આગામી 19મી જૂને રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે, આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ખાસ વાત છે કે, ભ્રષ્ટાચારને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ સહિતના નામો મોખરે છે. અહીં કુલ બાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટણીમાં મતદાન કરી શકે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશોRajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ , નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવાSurat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાંGujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
Holi 2025: જો હોળી પર બાળકની આંખમાં રંગ પડી જાય તો તાત્કાલિક કરો આ કામ, નહીં તો ભોગવવું પડશે ખતરનાક પરિણામ
Holi 2025: જો હોળી પર બાળકની આંખમાં રંગ પડી જાય તો તાત્કાલિક કરો આ કામ, નહીં તો ભોગવવું પડશે ખતરનાક પરિણામ
Embed widget