શોધખોળ કરો

Rajkot: બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને પગલે શરૂ થયો વિવાદ, જાણો કોણે બાબાને ગણાવ્યા તાંત્રિક?

બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે

Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે.

બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો.

એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.

Rajkot: રામાપીર ચોકડી પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાએ શું આપ્યું નિવેદન ?

Rajkot News:

  રાજકોટ રામાપીર ચોકડીનો પુલ પાસે તાજેતરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી કારે લકઝરી કારે યુવકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. જોકે હજુ સુધી કારચાલક પકડાયો નથી. આ ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, આ બાબતે હું પોલીસ કમિશનર સાથે વાતચીત કરીશ. હાઇ પ્રોફાઈલ કેસ હોય કે સામાન્ય કેસ તટસ્થ તપાસ થવી જોઈએ. થોડા સમય પહેલા મહાનગરપાલિકાની બેદરકારીમાં એક રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું ત્યારે પણ મેં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત કરી અને તટસ્થ તપાસની માંગ કરી હતી.

પરેશ ડોડીયાની માલિકીની મર્સિડીઝ કારની ઠોકરે મયુર તન્ના નામના યુવાનનું મોત થયું હતું. કાર માલિક પરેશ ડોડીયા અને તેના ભત્રીજાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કાર માલિકે પોલીસ નિવેદનમાં કાર ભત્રીજો લઈને ગયો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે કાર માલિક પરેશ ડોડીયાના ભત્રીજાની પૂછપરછ કરતા, એક્સિડન્ટ કરનાર મર્સિડિઝ કાર પરેશ ડોડીયાનો ડ્રાઈવર ભોલો લઈને ગયો હોવાનું અને તેનાથી અકસ્માત થયો હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસ દ્વારા કાર ખરેખર કોણ ચલાવતું હતું તેની તપાસ માટે ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે.  ઘટનાને 48 કલાક છતા હજુ એક પણ વ્યક્તિની અટકાયત કે ધરપકડ કરવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે મૃતકના પરિવરજનોએ ગઈકાલે ન્યાય માટે મીડિયા સમક્ષ પોકાર કર્યો હતો.

રાજકોટ મનપામાં આગામી 19 જૂને યોજાશે શિક્ષણ સમિતિની ચૂંટણી

રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર છે. આગામી 19 જૂને શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ અંગે મનપાએ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. આગામી 19મી જૂને રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે, આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ખાસ વાત છે કે, ભ્રષ્ટાચારને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ સહિતના નામો મોખરે છે. અહીં કુલ બાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટણીમાં મતદાન કરી શકે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદને લઈને આરોપ,  કમિટી સમક્ષ કરાઈ રજૂઆત
Rajkot: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદને લઈને આરોપ,  કમિટી સમક્ષ કરાઈ રજૂઆત

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ
Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Embed widget