શોધખોળ કરો

Rajkot: દિવાળી અગાઉ સૌરાષ્ટ્રવાસીઓને છ નવી ટ્રેન મળી, અમદાવાદ સુધી દોડતી ટ્રેનને રાજકોટ સુધી લંબાવાઇ

Rajkot: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી

Rajkot: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દિવાળી પહેલા નવી છ ટ્રેનની ભેટ મળી હતી. અત્યાર સુધી આ તમામ ટ્રેન અમદાવાદથી દોડતી હતી પરંતુ હવે રાજકોટ સુધી ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ જતા આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.

આ અંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અમદાવાદ પ્રયાગરાજ સહિત જુદી જુદી છ ટ્રેન હવે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. રાજકોટ આવતી-જતી 18 ટ્રેનને ઈલેક્ટ્રિક બુસ્ટર મળ્યું છે.

જે છ ટ્રેનને રાજકોટ સુધી લંબાવામાં આવી છે તેમાં અમદાવાદ-પટના એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલકત્તા એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.

તે સિવાય ભારતીય રેલવેએ હવે લાઈન ઓફ કંટ્રોલ સુધી લોકો ટ્રેન મારફતે પહોંચી શકે તે માટે મોટો નિર્ણય લીધો છે. બારામુલ્લા, શ્રીનગર અને શ્રીનગર- જમ્મુ નેશનલ હાઈવેના રેલ નેટવર્ક પર બનિહાલ સુધી સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે.  આ સિવાય સરહદી વિસ્તારોમાં જમીની સ્થિતિમાં સુધારો થયા બાદ પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલા સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્કના આગમનથી વેપાર વધારવામાં મદદ મળશે.

ઉત્તર રેલવેએ જમ્મૂ- કશ્મીરના સરહદી વિસ્તારોમાં રેલ જોડાણ વધારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર રેલવેએ રાજ્યમાં રેલ નેટવર્કનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે LOC સુધી સરળતાથી જઈ શકાશે. હાલમાં ઉત્તર કાશ્મીરના બનિહાલથી બારામુલા સુધી 135.5 કિલોમીટરની વચ્ચે ટ્રેન સેવા ચાલી રહી છે. ઉરી સુધી ટ્રેનની લિન્કના વિસ્તરણથી રોજગારીની તકો ઊભી થશે અને સ્થાનિક લોકોને ફાયદો થશે. આ રેલ નેટવર્કના વિકાસથી વેપારીઓ અને પ્રવાસીઓને સૌથી વધુ ફાયદો થશે. વેપારીઓનો માલ દિલ્હી પહોંચતા 10 દિવસ લાગે છે. પરંતુ ટ્રેન આવવાથી તે 36 થી 48 કલાકમાં દિલ્હી પહોંચી જશે. વેપારીઓ અને ખાસ કરીને ફળ ઉત્પાદકો માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં રેલ નેટવર્કને ચીનની સરહદ સુધી વિસ્તારવામાં આવશે. ઉરીના સરહદી વિસ્તાર સુધી રેલ લિંકના વિસ્તરણથી સ્થાનિક લોકોની કનેક્ટિવિટી સેવામાં સુધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget