શોધખોળ કરો

આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

2024ની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીનો સૌથી મોટો કાર્યક્રમ છે. 2024ની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે.

PM Modi in Rajkot: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે જરૂર આવવાના છે, પરંતુ ચૂંટણી પહેલા રાજકોટવાસીઓને પીએમ ખુદ પોતાના હાથે એક મોટી ગિફ્ટ આપવાના છે, જે કાર્યક્રમનો હવે લગભગ સમય અને તારીખ નક્કી થઇ ચૂકી છે. માહિતી પ્રમાણે આગામી 27 જુલાઇએ પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવવાના છે, અને આ દરમિયાન રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ લગભગ પહેલાથી જ નક્કી થઇ ચૂકી છે, હવે મોટો કાર્યક્રમ પણ યોજાવવાનો છે.

2024ની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીનો સૌથી મોટો કાર્યક્રમ છે. 2024ની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે. રેસકોર્સમાં જનમેદની એકઠી કરવા માટે ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓની મથામણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના સંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો જનમેદની એકઠી કરવામાં લાગ્યા છે. આ ઉપરાંત રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદ્ઘાટન કરશે. તો રાજકોટ કાલાવડ રોડ પર આવેલા કે કેવી બ્રિજનું પણ લોકાર્પણ કરશે. મહાનગરપાલિકાના સુએજ પ્લાન્ટ અને લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરશે. કુલ મળીને 2200 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટ માં ગુરુવારના રોજ પ્રધાનમંત્રી નો મિનિટ 2 મિનિટ કાર્યક્રમ

3.10 હિરાસર એરપોર્ટ પર આગમન

3.15 બાયરોડ ટર્મીનલ બિલ્ડીંગ પર પહોંચશે

3.15 થી 3.30 એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કરશે

3.40 ટર્મિનલ બિલ્ડીંગથી બાય રોડ એમ.આઈ-17 હેલીકોપ્ટર પર પહોંચશે

3.45 હિરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર આવવા રવાના થશે

4.05 રાજકોટ એરપોર્ટ પર આગમન

4.10 રાજકોટ એરપોર્ટથી બાયરોડ રેસકોર્ષ સભાસ્થળે પહોંચવા રવાના થશે

4.15 રેસકોર્ષ સભાસ્થળ પર આગમન

4.15 થી 5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે

5.40 થી 6.30 રાજકોટથી બોઈંગમાં રવાના થઈ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની આ જનસભા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે. રાજકોટમાં Kkv ઓવરબ્રિજનું પણ પીએમ મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આ પહેલા 22મી જુલાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ kkv ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના હતા, પરંતુ હવે આ કાર્યક્રમને પણ 27મી જુલાઈએ જ રાખવામાં આવ્યો છે, આ કેકેવી ઓવરબ્રિઝને પણ હવે વડાપ્રધાન મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આગામી 22 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવશે, અને વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી હીરાસર ગ્રીનફિલ એરપોર્ટ સહિત રાજકોટના અલગ અલગ 3000 કરોડના લોકાર્પણ કરશે. મહાનગર પાલિકાની કેકેવી બ્રિજ, અદ્યતન લાયબ્રેરી, શુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના લોકાર્પણ કરશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ

વિડિઓઝ

Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
Embed widget