Surat: રાજ્યમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો, 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 42 દિવસમાં પડી ગઈ તિરાડો
સુરત: બ્રિજ સેલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત ખાતે વિવાદિત વેડ-વરિયાવ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો છે. બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે. નવાઈની વાત એ છે કે,એક મહિના પહેલા જ બ્રિજને ખુલ્લો મુકાયો હતો.
સુરત: બ્રિજ સેલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત ખાતે વિવાદિત વેડ-વરિયાવ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો છે. બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે. નવાઈની વાત એ છે કે,એક મહિના પહેલા જ બ્રિજને ખુલ્લો મુકાયો હતો. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટે ચડી ગયો છે અને જનતાના ટેક્સના પૈસા પાણીમાં ગયા છે. વરિયાવ તરફનો ભાગ દબાઈ ગયો છે. પહેલા જ વરસાદે બ્રિજ સેલની પોલ ખોલી નાખી છે. બ્રિજનો ભાગ બેસી જતા અધિકારીઓ દોડતા થયા છે. લોકોએ બ્રિજ સેલના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે.
સુરત મનપાના કરોડોના ભ્રષ્ટાચારની કુદરતે પોલ ખોલી નાખી છે. 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. 118 કરોડનો બ્રિજ 42 દિવસમાં જ ક્ષતિગ્રસ્ત થયો છે. વેડ-વરિયાવ બ્રિજ પર પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારના ગાબડા પડવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે, 18 મેના રોજ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતુ. 1496 મીટર લંબાઈ ધરાવતા બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. સુરત શહેરમાં બનેલા 120મા બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડને લઈને લોકોએ પણ આકરા સવાલો કર્યા છે. ભ્રષ્ટાચારનું પાપ છૂપાવવા થીંગડા મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામ વિજય એન મિસ્ત્રી પ્રાઈવેટ લિ.ને સોંપાયું હતું.
કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર
તો બીજી તરફ બ્રિજમાં તિરાડોને લઈ કોંગ્રેસે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, આ પાણીનો માર નહીં, ભ્રષ્ટાચારનો ભાર છે. વરસાદને કોસવાનું નહીં ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો. પાણીના કારણે રોડનું સેટલમેન્ટ નહીં કોંટ્રાક્ટર સાથે વહીવટનું સેટલમેન્ટ છે. સેટલમેન્ટનું બહાનું હોય અન્ય બ્રિજમાં કેમ ન થયું સેટલમેન્ટ. બહુ થઈ વાર્તાઓ, હવે હદ થઈ ભ્રષ્ટાચારથી બરબાદીની. ડામર,કપચીનો કામચલાઉ મેકઅપ બંધ કરો. માટી ખાધી, કપચી ખાધી, કોણે કર્યું ડામરથી મોઢું કાળુ? લોકાર્પણ સમયે ફોટા પડાવતા મંત્રીઓ જુઓ આ પાપ. 118 કરોડના ભ્રષ્ટાચાર પર થીંગડા મારવાની શરૂઆત.
તો બીજી તરફ અધિકારીઓ હજુ પણ ડંફાસ મારવાનું ચુકતા નથી. માત્ર માટી બેસી ગયાની વાર્તાઓ કરે છે. બાબુઓને આ રોડનું નોર્મલ સેટલમેન્ટ લાગે છે. બાબુઓના મકાનના સ્લેબ બેસે તો ખબર પડશે. કારણ કે, આ પહેલી ઘટના નથી જ્યારે રાજ્યમાં બ્રિજના કામમાં લાલીયાવાડી સામે આવી હોય. આ પહેલા પણ રાજ્યમાં અનેક રોડ અને બ્રિજના કામમાં ફરિયાદો સામે આવી ચૂકી છે.