શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ખુલી ગઈ ઓફિસો, જાણો પછી શું થયું?
મહિધરપુરા હીરા બજારમાં મંજૂરી ન હોવા છતાં સંચાલકોએ ઓફિસો ખોલી નાંખી હતી. સ્થાનિક પોલીસે તમામને ઓફિસની બહાર કાઢી ઓફિસ બંધ કરાવી હતી.
સુરતઃ મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન-4માં ગુજરાતમાં અનેક વેપાર-ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે કન્ટેઇન્મેન્ટ અને નોન કન્ટેઇન્મેન્ટ ઝોન એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ધંધા-વેપારમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે, સુરતમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આજે ઓફિસો ખુલ્લી ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે મહિધરપુરા હીરા બજારમાં મંજૂરી ન હોવા છતાં સંચાલકોએ ઓફિસો ખોલી નાંખી હતી. સ્થાનિક પોલીસે તમામને ઓફિસની બહાર કાઢી ઓફિસ બંધ કરાવી હતી. મહિધરપુરા હીરા બજાર રેડ ઝોનમાં છે, ત્યારે ઓફિસો બંધ કરાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સવારથી મોબાઇલની દુકાનો ખોલી દેવામાં આવી હતી. જોકે, આરોગ્ય વિભાગના ધ્યાને આ વાત આવતાં તેમણે તમામ દુકાનો બંધ કરાવી હતી. તેમજ દુકાનદારોને દંડ પણ ફટકાર્યો હતો. માત્ર નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જ દુકાનો ખોલવાની છૂટ હોવાથી આ દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion