શોધખોળ કરો

સીઆર પાટીલને બદનામ કરવાનો કેસ, સુમલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકને પુછપરછ માટે બોલાવાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત પેમ્ફલેટ કાંડ દ્વારા સીઆર પાટીલને બદનામ કરવાના આરોપમાં દક્ષિણ ગુજરાતમાંથી પાર્ટીના ત્રણ કાર્યકરોની ધરપકડ કરી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને પેન ડ્રાઈવ અને ફર્જી પત્રિકાથી બદનામ કરવાના ષડયંત્રમાં સુરત પોલીસ મોટી કાર્યવાહી કરે તેવા સંકેત મળી રહ્યા છે. સુમુલ ડેરીના વાઈસ ચેરમેન એવા રાજુ પાઠકને આજ સંદર્ભે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચ બોલાવાયા છે.

સૂત્રોનું માનીએ તો પાટીલ વિરુદ્ધના ષડયંત્રની ગાંધીનગરમાં જ્યારે બેઠક મળી હતી. તેમાં રાજુ પાઠક પણ હાજર હતા. સુત્રોના મતે તે બેઠકમાં 3 પૂર્વ મંત્રીઓ પણ હાજર હતા અને તેમાં જ પાટીલને બદનામ કરવા શું-શું કરી શકાય તેની રણનીતિ ઘડાઈ હતી. પાટીલને બદનામ કરવાના કેસમાં પૂર્વ મંત્રી ગણપત વસાવાના નિકટના સાથી સહિત 3ની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે. જો કે પાઠકની અટકાયત કે ધરપકડ ક્યારે કરાશે તે અંગે પોલીસે હજુ સત્તાવાર જાણકારી આપી નથી.

સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત પેમ્ફલેટ કાંડ દ્વારા સીઆર પાટીલને બદનામ કરવાના આરોપમાં દક્ષિણ ગુજરાતમાંથી પાર્ટીના ત્રણ કાર્યકરોની ધરપકડ કરી હતી. દીપુ યાદવ, ખુમાનસિંહ અને રાકેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક મોટા નામો સામે આવી શકે છે તેવી ચર્ચા છે. ચર્ચામાં ભાજપના એક મોટા નેતાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સી.આર.પાટીલના ભરોસાપાત્ર ગણાતા પ્રદીપ વાઘેલાના રાજીનામાને લઈને અનેક રીતે અટકળો થવા લાગી છે.

ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પછી પ્રદીપસિંહ વાઘેલા સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચા હતી, ત્યારે વાઘેલાને પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા હતા. ગુજરાતના અમદાવાદ જિલ્લાના બકરાણા ગામના વતની ક્ષત્રિય નેતા વાઘેલાએ ખૂબ જ ઝડપથી ભાજપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન, તેમણે એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2003માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતી. આ પછી, તેઓ બે વખત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા અને ત્યારબાદ વાઘેલા જીતુ બઘાણીની ટીમમાં પ્રદેશ સચિવ હતા.

2020માં પ્રદીપ વાઘેલાનું રાજકીય કદ વધ્યું, જ્યારે સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખની કમાન મળી. પાટીલે તેમની ટીમમાં રજની પટેલ, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા અને પ્રદીપ વાઘેલાને જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા, જેમાંથી વાઘેલા સૌથી શક્તિશાળી માનવામાં આવતા હતા. અગાઉ એપ્રિલમાં ભાર્ગવ ભટ્ટને ટોચના નેતૃત્વ દ્વારા મહામંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને હવે પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. હાલ ભાજપના પ્રદેશ સંગઠનમાં માત્ર બે મહામંત્રીઓ જ બચ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget