શોધખોળ કરો

Surat: સુરતની એલ.પી.સવાણી સ્કૂલની દાદાગીરી, યોગ કાર્યક્રમમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને આપી ધમકી

સોશિયલ મીડિયા પર આ અંગેનો મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સુરતની એલ.પી.સવાણી સ્કૂલના સત્તાધીશોની દાદાગીરી સામે આવી છે. ઇન્ટરનેશનલ યોગ ડે નિમિતે યોજાયેલા યોગ કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી. વોટ્સએપ પર મેસેજ કરીને વિદ્યાર્થીઓને શનિવાર સુધી ગેરહાજરી મુકવાની ધમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ અંગેનો મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.


Surat: સુરતની એલ.પી.સવાણી સ્કૂલની દાદાગીરી, યોગ કાર્યક્રમમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને આપી ધમકી

મળતી જાણકારી અનુસાર, સુરતમાં એલ.પી સવાણી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી હતી. યોગ કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજ થકી સ્કૂલના સત્તાધીશોએ ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાલીઓનો આરોપ છે કે યોગ કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓને શનિવાર સુધી શાળામાં ગેરહાજરી મુકવાનો મેસેજ કર્યો છે. જો કે આ મુદ્દે શાળાના સંચાલકોએ કહ્યું હતું કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી.

એલ.પી.સવાણી સ્કૂલ પાલનપોરના એક વાલી ગ્રુપમાં મુકાયેલો મેસેજ બુધવારે સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શાળા તરફથી બુધવારના યોગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરીની સૂચના આપવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓને એસવીએનઆઇટી કેમ્પસ સામે આવેલા બ્લોક નંબર- ૧૯માં હાજર રહેવાની સૂચના અપાઇ હતી. વાલીઓને ૫ વાગ્યે બાળકોને સ્થળ પર મુકી જવાની સૂચના અપાઇ હતી. જોકે, યોગ કાર્યક્રમ પૂરો થયા બાદ બપોરે ૧.૫૦ વાગ્યે વાલીઓના ગ્રુપમાં એક મેસેજ મુકાયો હતો.

મેસેજમાં જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓ યોગા ડે કાર્યક્રમમાં હાજર રહ્યા નથી તેમની શનિવાર સુધી ગેરહાજરી મુકવામાં આવશે. આ સંદર્ભે પહેલેથી જ કડક પગલાં લેવાશે એવી સૂચના મેસેજમાં આપવામાં આવી હતી. જોકે, જે વિદ્યાર્થીઓએ ગેરહાજરી માટે જાણકારી આપી દીધી છે તેઓએ શાળાએ આવવાનું રહેશે. યોગ કાર્યક્રમમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને શનિવાર સુધી એટલે કે ત્રણ દિવસની ગેરહાજરી મુકવાની સૂચનાથી વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ સંદર્ભે સ્કૂલના સંચાલક ધર્મેશ સવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે હજુ મારી પાસે કોઇ જાણકારી નથી.    

વરાછામાં યુવકે સ્કૂલ બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

તાજેતરમાં જ સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. યુવક ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી ચાલતો આવતો હતો ત્યારે અચાનક પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસમાં પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની ઉંમર આશરે 27 વર્ષ છે. ઘટનાને લઈ વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget