શોધખોળ કરો

Surat: સુરતની એલ.પી.સવાણી સ્કૂલની દાદાગીરી, યોગ કાર્યક્રમમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને આપી ધમકી

સોશિયલ મીડિયા પર આ અંગેનો મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સુરતની એલ.પી.સવાણી સ્કૂલના સત્તાધીશોની દાદાગીરી સામે આવી છે. ઇન્ટરનેશનલ યોગ ડે નિમિતે યોજાયેલા યોગ કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી. વોટ્સએપ પર મેસેજ કરીને વિદ્યાર્થીઓને શનિવાર સુધી ગેરહાજરી મુકવાની ધમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ અંગેનો મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.


Surat: સુરતની એલ.પી.સવાણી સ્કૂલની દાદાગીરી, યોગ કાર્યક્રમમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને આપી ધમકી

મળતી જાણકારી અનુસાર, સુરતમાં એલ.પી સવાણી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી હતી. યોગ કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજ થકી સ્કૂલના સત્તાધીશોએ ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાલીઓનો આરોપ છે કે યોગ કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓને શનિવાર સુધી શાળામાં ગેરહાજરી મુકવાનો મેસેજ કર્યો છે. જો કે આ મુદ્દે શાળાના સંચાલકોએ કહ્યું હતું કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી.

એલ.પી.સવાણી સ્કૂલ પાલનપોરના એક વાલી ગ્રુપમાં મુકાયેલો મેસેજ બુધવારે સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શાળા તરફથી બુધવારના યોગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરીની સૂચના આપવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓને એસવીએનઆઇટી કેમ્પસ સામે આવેલા બ્લોક નંબર- ૧૯માં હાજર રહેવાની સૂચના અપાઇ હતી. વાલીઓને ૫ વાગ્યે બાળકોને સ્થળ પર મુકી જવાની સૂચના અપાઇ હતી. જોકે, યોગ કાર્યક્રમ પૂરો થયા બાદ બપોરે ૧.૫૦ વાગ્યે વાલીઓના ગ્રુપમાં એક મેસેજ મુકાયો હતો.

મેસેજમાં જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓ યોગા ડે કાર્યક્રમમાં હાજર રહ્યા નથી તેમની શનિવાર સુધી ગેરહાજરી મુકવામાં આવશે. આ સંદર્ભે પહેલેથી જ કડક પગલાં લેવાશે એવી સૂચના મેસેજમાં આપવામાં આવી હતી. જોકે, જે વિદ્યાર્થીઓએ ગેરહાજરી માટે જાણકારી આપી દીધી છે તેઓએ શાળાએ આવવાનું રહેશે. યોગ કાર્યક્રમમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને શનિવાર સુધી એટલે કે ત્રણ દિવસની ગેરહાજરી મુકવાની સૂચનાથી વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ સંદર્ભે સ્કૂલના સંચાલક ધર્મેશ સવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે હજુ મારી પાસે કોઇ જાણકારી નથી.    

વરાછામાં યુવકે સ્કૂલ બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

તાજેતરમાં જ સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. યુવક ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી ચાલતો આવતો હતો ત્યારે અચાનક પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસમાં પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની ઉંમર આશરે 27 વર્ષ છે. ઘટનાને લઈ વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget