શોધખોળ કરો

Surat: સુરતમાં શરદી-ઉધરસ બાદ પરિણીતાનું મોત, H3N2 વાયરસના કેટલાક લક્ષણો દેખાયાનો દાવો

સુરત: કોરોનાની સાથે સાથે હવે  H3N2 વાયરસે પણ માથું ઉચક્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતમાં શરદી,ઉધરસ અને કફની તકલીફ બાદ એક પરિણીતાનું મોત નિપજ્યું છે.

સુરત: કોરોનાની સાથે સાથે હવે  H3N2 વાયરસે પણ માથું ઉચક્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતમાં શરદી,ઉધરસ અને કફની તકલીફ બાદ એક પરિણીતાનું મોત નિપજ્યું છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે H3N2 જેવા કેટલાક લક્ષણો મહિલામાં જોવા મળ્યા હતા. જો કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત જાણવા મળશે. પરિણિતાના મોતને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

શું કોરોનાની માફક હાહાકાર મચાવશે H3N2?

સમગ્ર દેશમાં H3N2 વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં આ વાયરસના કારણે 2 લોકોના મોત થતા કેન્દ્ર અને દેશવાસીઓની ચિંતા વધારી છે. નીતિ આયોગે ઈન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે એક એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવા માટે બેઠક યોજી છે. કમિશનની બેઠકમાં રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં સજ્જતા, માનવબળ, દવા, મેડિકલ ઓક્સિજન અને સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. કમિશને નિર્ણય લીધો છે કે, વાયરસનો સામનો કરવા માટે સૌ પ્રથમ લોકોને જાગૃત કરવાની જરૂર છે.

નીતિ આયોગની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવશે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો સામનો કરવા માટે આયોગે કોરોના જેવા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંગે રાજ્યોને પણ નિર્દેશ જારી કરવામાં આવશે. કમિશને પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. કમિશને કહ્યું હતું કે, નાક અને મોં ઢાંકવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, લક્ષણોવાળા લોકોના સંપર્કમાં ન આવવા અને લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. નીતિ આયોગના આ નિર્દેશોના કારણે એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું H3N2 વાયરસ પણ કોરોનાની માફક દેશભરમાં હાહાકાર મચાવશે? 

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મોનિટરિંગ વધારવા આપ્યા આદેશ

ભારતમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાથી બે મૃત્યુ થયા છે. કર્ણાટકમાં એક અને હરિયાણામાં એક મૃત્યુ નોંધાયું છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે રાજ્યોને જાગ્રત રહેવા અને કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં દેશમાં H3N2ના 451 કેસ નોંધાયા છે.

ભારતમાં ઈન્ફલ્યુએન્ઝાથી બે મૃત્યુ

છેલ્લા ત્રણ મહિનામાં H3N2ના 90 કેસ નોંધાયા છે. જ્યારે કર્ણાટકમાં એક 82 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે આ જ વાયરસથી પીડિત હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું હતું. એક સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં 6 માર્ચે પુષ્ટિ થઈ હતી કે તે વાયરસથી સંક્રમિત છે. જ્યારે હરિયાણામાં પણ H3N2 વાયરસના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
Embed widget