શોધખોળ કરો

Vadodara: ભાગલા બાદ પહેલીવાર કોઈ જૈન મુનિ પહોંચ્યા ભારતથી પાકિસ્તાન

વડોદરા: ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલીવાર કોઈ જૈન મુનિ ભારતથી પાકિસ્તામાં વિહાર કરવા નીકળ્યા છે. વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ આજે (21 મે 2023) અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો.

વડોદરા: ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલીવાર કોઈ જૈન મુનિ ભારતથી પાકિસ્તામાં વિહાર કરવા નીકળ્યા છે. વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ આજે (21 મે 2023) અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. તેઓ આવતીકાલે 22 મેના રોજ લાહોરના ગુજરાંવાલામાં સરકારી મ્યુઝિયમ સ્થિત જૈનોના ગચ્છોના ગુરુદેવ વિજયાનંદસૂરી મહારાજ(આત્મારામજી મહારાજ)ની ચરણપાદુકાનાં દર્શન કરશે.

તમારા બધા તરફથી પણ વંદના કરીશ

આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે જણાવ્યું હતું કે તમે માની શકો છો, શરીર મારું હશે, અવાજ મારો હશે, દિલ મારું હશે, પરંતુ નહીં, આ શરીર, દિલ અને અવાજ તમારાં છે,. એવું માનીને હું ગુરુજી મહારાજ સાહેબને તમારા બધા તરફથી પણ વંદના કરીશ. હું ગુરુજીને વિશ્વાસ અપાવીશ કે તમે જે માર્ગ બતાવ્યો છે એના પર અમે સદાય ચાલતા રહેવાનો પ્રયાસ કરતા રહીશું.

કોરોનાકાળમાં મહારાજે ઓનલાઇન અભ્યાસ કરાવ્યો હતો

વડોદરાના જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ એક મહિના માટે પાકિસ્તાનમાં વિહાર કરવા માટે ગયા છે. તેઓ આવતીકાલે લાહોર યુનિવર્સિટી ખાતે પહોંચશે અને ત્યાંથી પાકિસ્તાનમાં વિહાર કરવા માટે નીકળશે. આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ 4 વર્ષ પહેલાં વડોદરામાં માંજલપુર જૈન સંઘમાં ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત કોરોનાકાળમાં તેઓ પાવાગઢમાં ચાતુર્માસ કરવા પધાર્યા હતા. આ સમયે એમ.એસ. યુનિવર્સિટીએ તેમને પુસ્તક લખવા માટે રિક્વેસ્ટ કરી હતી, જેથી આચાર્યએ જીવ જગત નામનું પુસ્તક લખ્યું હતું અને જીવ જગત પુસ્તકનું વિમોચન એમ.એસ.યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે ઓનલાઇન અભ્યાસ કરાવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસૂરી મહારાજ ગુજરાંવાલામાં ચાતુર્માસ કરી રહ્યા હતા. એ સમયે દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે મહારાજને વિનંતી કરી હતી કે ગુરુદેવ હાલ માહોલ સારો નથી, તમે તમારા સાધુ-સાધ્વી ભગંવતને લઇને અહીં હિન્દુસ્તાન આવી જાઓ, જેથી મહારાજે કહ્યું હતું કે અહીં બીજા જૈન અને હિન્દુઓ છે, તેમનું શું થશે? તમે મને અહીંથી લઇ જવા માગો છો તો હું એકલો નહીં આવું, મારી સાથે તમામ જૈન અને હિન્દુઓ આવશે, તમે તેમની વ્યવસ્થા કરશો તો જ હું આવીશ. ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે આર્મી મોકલીને આચાર્ય મહારાજ, પોતાના શિષ્ય અને શ્રાવિક-શ્રાવિકાઓ સાથે ભારત પરત લાવ્યા હતા. વલ્લભસૂરી મહારાજનો જન્મ વડોદરાની જાની શેરીમાં થયો હતો.

કોઇ જૈન મુનિ પાકિસ્તાનની ધરતી પર નથી પહોંચ્યા

તેમણે ઉમેર્યું હતું કે જોકે ત્યાર પછી આઝાદીનાં 75 વર્ષ થઈ ગયાં, કોઇ જૈન મુનિ પાકિસ્તાનની ધરતી પર નથી પહોંચ્યા, પરંતુ આજે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદરસૂરીશ્વરજી મહારાજ, મુનિરાજ ઋષભચંદ્ર વિજય ધર્મ કીર્તિવિજય, મહાભદ્રવિજય મહારાજ અને તેમની સાથે 18 શ્રાવકને પાકિસ્તાનમાં વિહાર કરવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનના લાહોર પગપાળા વિહાર કરીને તેઓ પહોંચશે. જ્યાં લાહોરના મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજ એટલે કે વિજ્યાનંદસૂરી મહારાજની ચરણપાદુકાનાં દર્શન કરીને ગુજરાંવાલા તરફ વિહાર શરૂ કરશે.

તમામ સંપત્તિ સમાજને દાનમાં આપી દીધી

દીપકભાઇ શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરમાં જૈનો એક સમયે પાકિસ્તાનની ઇનોકોમી ચલાવતા હતા. અત્યારે પણ ગુજરાંવાલામાં અનેક જૈન મંદિરો આવેલાં છે. વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ મૂળ પંજાબના છે અને વર્ષો પહેલાં તેમણે આખા પરિવાર સાથે દિલ્હીમાં જૈન દીક્ષા લીધી હતી અને તેમની તમામ સંપત્તિ સમાજને દાનમાં આપી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Embed widget