શોધખોળ કરો

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો, હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા

Vadodara Bridge Collapse: ગુરુવારે વધુ ચાર મૃતદેહ મહીસાગર નદીમાંથી મળ્યા હતા. એક મૃતદેહ બ્રિજના પિલર, બીજો મૃતદેહ ટ્રક નીચેથી મળી આવ્યો હતો.

Vadodara Bridge Collapse:  વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો હતો.  હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા છે. ગુરુવારે વધુ ચાર મૃતદેહ મહીસાગર નદીમાંથી મળ્યા હતા. એક મૃતદેહ બ્રિજના પિલર, બીજો મૃતદેહ ટ્રક નીચેથી મળી આવ્યો હતો. સાંજે બામણ ગામના યોગેશ પટેલનો મૃતદેહ પણ મળ્યો હતો. હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા છે. 2 દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

વાસ્તવમાં બુધવારે (9 જુલાઈ) સવારે, પાદરા શહેર નજીક ગંભીરા ગામમાં 40 વર્ષ જૂના પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. પુલ પર ઘણા વાહનો હતા, જે નદીમાં પડી ગયા હતા. આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડે છે.

નદીના પાણીમાં વધારો થવાને કારણે કામગીરી બંધ

વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ માહિતી આપી હતી કે ગુરુવારે રાત્રે વધુ એક મૃતદેહ મળવાથી આ અકસ્માતમાં મૃત્યુઆંક 18 થઈ ગયો છે. બે લોકો હજુ પણ ગુમ છે. નદીમાં પાણી વધવાને કારણે બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી અને શુક્રવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય એજન્સીઓની ઓછામાં ઓછી 10 ટીમો દ્વારા દિવસભર શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા

આ નિષ્ણાતોની ટીમે ઘટના સ્થળે રૂબરૂ જઈને બધી તપાસ કરી હતી. એમના પ્રાથમિક અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જે અધિકારીઓ જવાબદાર લાગ્યા છે એમના પર કડક પગલાં લેવાયા છે. મુખ્યમંત્રીએ એન. એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), ને જે.વી.શાહ (મદદનીશ ઇજનેર) ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે.

ખાલી આ પુલ નહીં બીજા પુલોની પણ થશે સઘન તપાસ!

આ ઘટના પછી રાજ્યના બીજા પુલોની સલામતીનું પણ ધ્યાન રાખીને મુખ્યમંત્રી એ જાહેરહિતમાં એક બીજી મોટી સૂચના પણ આપી છે. એમણે કીધું છે કે, રાજ્યના બીજા બધા પુલોની પણ તાબડતોબ ધોરણે ફરીથી ઝીણવટભરી (સઘન) તપાસ કરી લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મામલે કોઈ ઢીલાશ નહીં ચલાવે ને જવાબદારોને છોડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget