શોધખોળ કરો

Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

Vadodara: આગમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલિન ચૌધરી વડોદરા પહોંચ્યા હતા.

Vadodara:  વડોદરાના કોયલીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર કલાકોની જેહમત બાદ આજે વહેલી સવારે કાબૂ મેળવાયો હતો. હાલ IOCLમાં કૂલિંગની કામગીરી શરૂ કરાઇ હતી. કોયલીની IOCLમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં બેના મોત થયા છે. શૈલેષ મકવાણા અને ધીમંત મકવાણા નામના વ્યક્તિનું મોત થયું છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલિન ચૌધરી વડોદરા પહોંચ્યા હતા. નલિન ચૌધરી રિફાઈનરીમાં આગ લાગવાનો રિપોર્ટ તૈયાર કરશે.

સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં મકાનના કાચ તૂટ્યા હોવાની ચર્ચા છે. સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ઘટના બની હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે નંદેશરી, ભરૂચ, અંકલેશ્વર સહિત આસપાસની કંપનીઓના ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. જો કે આ આગ પર પાંચ કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા કોન્ટ્રાક્ટના કર્મચારી ધીમંત મકવાણાનું સારવાર સમયે મોત નિપજ્યું હતું. જો કે આગ પર કાબૂ મેળવાયા બાદ મોડી સાંજે બીજો બ્લાસ્ટ થયો હતો. જેને લઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. બાદમાં અમદાવાદ, આણંદ સહિતના ફાયર સ્ટેશનમાં પણ જાણ કરાઈ હતી અને 35થી વધુ ફાયરની ગાડીઓ કામે લગાડવામાં આવી હતી.

સાથે જ આગના કારણે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. એટલે કે બીજા બ્લાસ્ટ બાદ શેલૈષ મકવાણાએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ફાયર વિભાગના ત્રણ કર્મચારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તો આ તરફ કંપનીએ પણ લેખિતમાં નિવેદન જાહેર કર્યું હતું. જેમાં દાવો કર્યો હતો કે આગ લાગવાના સ્થળે તમામ સેફ્ટી-સુરક્ષા કર્મચારીઓ હતા. સાથે જ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયુ ન હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.

IOCLમાં આગની ઘટના બાદ આજે રિફાઈનરી બહાર મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા. કામગીરી પૂર્વવત છે કે બંધ તે અંગે કામદારોને કોઈ માહિતી નહીં. પ્રત્યક્ષદર્શીએ એબીપી અસ્મિતા પર કહ્યું હતું કે પ્રચંડ ધડાકો થયા બાદ સુપરવાઈઝરે અમને એક સ્થળે ખસેડ્યા હતા. આગને લીધે આસપાસમાં ફાયરનું સાયરન સંભળાતુ હતું. આગ વિકરાળ બનતા એક બાદ એક કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. IOCL ફેકટરીમાં અંદાજે દસ હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

વડતાલ ધામઃ શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ પર પીએમ મોદીનું વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધન, શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
Embed widget