શોધખોળ કરો

Russia : મુશ્કેલ સમયે પુતિનને મળ્યો 'કસાઈ'નો સાથ, વેગનર આર્મીની ખેર નહીં!!!

પુતિનની જેમ કાદિરોવે પણ પ્રિગોઝિનના વલણને 'પીઠમાં છરો' ભોંક્યાનું ગણાવ્યું છે. આ સાથે જ તેમણે રશિયન સૈનિકોને અપીલ કરી હતી કે, તેઓ કોઈ પણ 'ઉશ્કેરણી' સામે ના ઝૂકે.

Viadimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાસ ગણાતા અને વેગનર આર્મીના પ્રમુખગ યેવગેની ર્પિગોઝીનએ સશસ્ત્ર વિદ્રોહ કરી નાખ્યો છે. જેને લઈને પુતિન સામે એક તરફ યુક્રેન સાથેના યુદ્ધ તો બીજી બાજુ ઘર આંગણે વેગનર પ્રાઈવેટ આર્મીના પડકારો ઉભા થયા છે. આ મુશ્કેલ ઘડીમાં પુતિનને ચેચન નેતા રમઝાન કાદિરોવનો સાથ મળ્યો છે. 

વિદ્રોહી બનેલી વેગનર પ્રાઈવેટ આર્મીએ રશિયાની રાજધાની મોસ્કો પર કબજો કરવાની નેમ સાથે આગેકુચ શરૂ કરી દીધી છે ત્યારે ચેચેન નેતા રમઝાન કાદિરોવે કહ્યું હતું કે, તેમની સેના વેગનર ચીફ યેવજેની પ્રિગોઝનીના બળવાને દબાવવામાં પુતિનની મદદ કરવા તૈયાર છે. તેણે લખ્યું હતું કે, જો જરૂર પડશે તો તે કઠોર રીતોનો ઉપયોગ કરવા પણ તૈયાર છે. કાદિરોવ, જે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીક છે, તેણે ટેલિગ્રામ પર એક નિવેદન પોસ્ટ કર્યું જે પુતિનના જેવું જ છે. પુતિનની જેમ કાદિરોવે પણ પ્રિગોઝિનના વલણને 'પીઠમાં છરો' ભોંક્યાનું ગણાવ્યું છે. આ સાથે જ તેમણે રશિયન સૈનિકોને અપીલ કરી હતી કે, તેઓ કોઈ પણ 'ઉશ્કેરણી' સામે ના ઝૂકે.

પ્રિગોગિનના વિરોધી

કાદિરોવે કહ્યું હતું કે, ચેચન એકમો તણાવગ્રસ્ત વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. આ એકમો રશિયાના એકમોની સુરક્ષા માટે કામ કરશે. ચેચન્યામાં નવા દળોની કમાન સંભાળનાર પુતિનના નજીકના સાથી કાદિરોવને અગાઉ પ્રિગોઝિનના સાથી તરીકે જોવામાં આવતા હતા. તેઓ ઘણીવાર પ્રિગોઝિનીના વિવેચકોમાંના એક પણ રહ્યા છે. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચેચન કમાન્ડરોએ કાદિરોવ સાથે જોડાણ કર્યું હતું અને સંરક્ષણ મંત્રાલય સામે પ્રિગોઝિનના નિયમિત આક્ષેપોની ટીકા કરવાનું શરૂ કર્યું હતું.

કાદિરોવ કોણ છે? 

કાદિરોવ એક વિવાદાસ્પદ ચેચન નેતા છે. કાદિરોવ, જેઓ તેમના પિતાને આદર્શ માનતા હતા. તેઓ પણ તેમના પિતા સાથે રશિયામાં જોડાયા હતા. તેમના પિતાના મૃત્યુ સમયે તેઓ 30 વર્ષના હતા. તેમના પર અનેક વખત માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો. કાદિરોવના પિતા પુતિનના કટ્ટર સમર્થક, ભૂતપૂર્વ ચેચન પ્રમુખ અખ્મેદ કાદિરોવ હતા. તેઓ પુતિનના મોટા સમર્થક પણ હતા. અખ્મેદ કાદિરોવે બીજા ચેચન યુદ્ધમાં પક્ષ બદલ્યો હતો. તે યુદ્ધ દરમિયાન પુતિન સાથે જોડાયા અને તેમની સાથે કામ કરવા લાગ્યા હતાં. મે 2004માં તેમની હત્યા કરવામાં આવી હતી.

પુતિનના આરોપોને નકારી કાઢ્યા

દરમિયાન, પ્રિગોગિનીએ પુતિનના રાજદ્રોહના આરોપોને ફગાવી દીધા હતા. તેમની પીઠમાં છરો મારવાની વાત પણ તેણે સ્વીકારી નહોતી. પ્રિગોઝિનીએ દેશના સંરક્ષણ પ્રધાન શોઇગુ પર યુક્રેનમાં વેગનરના ફિલ્ડ કેમ્પ પર રોકેટ હુમલાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ તે સ્થાન છે જ્યાં તેમના સૈનિકો રશિયા વતી લડી રહ્યા છે. ટેલિગ્રામ પર પોસ્ટ કરાયેલ ઓડિયોમાં, પ્રિગોગિનીએ રોકેટ વિસ્ફોટો અને વેગનર લડવૈયાઓના નુકસાન સામે વાત કરી હતી. મોટી સંખ્યામાં અમારા લડવૈયાઓ, અમારા સાથીઓ માર્યા ગયા છે. દેશનું સૈન્ય નેતૃત્વ જે દુષ્ટતાને પ્રોત્સાહન આપી રહ્યું છે તેને રોકવું જોઈએ તેમ આ વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget