શોધખોળ કરો

મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ

Sweden Immigration: આ નીતિ 2026થી લાગુ થશે. વર્તમાન નીતિ પણ ઇમિગ્રન્ટ્સને સ્વૈચ્છિક રીતે ઘરે પાછા ફરવા માટે પ્રોત્સાહન રકમ આપે છે, પરંતુ તે ખૂબ ઓછી છે.

Sweden Muslim Immigration: સ્વીડને ઇમિગ્રન્ટ્સને દેશ છોડવાનું કહ્યું છે. પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમા અનુસાર, ખાસ કરીને મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને કહેવામાં આવ્યું છે કે દેશ છોડવા માટે 34 હજાર ડોલર આપવામાં આવશે. સ્વીડને જાહેરાત કરી છે કે તે સ્વૈચ્છિક રીતે પોતાના દેશમાં પાછા ફરતા ઇમિગ્રન્ટ્સને નાણાકીય પ્રોત્સાહનમાં નોંધપાત્ર વધારો કરશે.

આ નવી પહેલ 2026માં શરૂ થશે અને ઇમિગ્રન્ટ્સને 350,000 સ્વીડિશ ક્રોનર (લગભગ 28.7 લાખ રૂપિયા) સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. આ પગલાનો હેતુ વધુને વધુ ઇમિગ્રન્ટ્સને તેમના મૂળ દેશમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એક સમયે "માનવતાવાદી મહાસત્તા" તરીકે ઓળખ બનાવનાર સ્કેન્ડિનેવિયન દેશને ઘણા નવા લોકોને એકીકૃત કરવામાં પડકારોનો સામનો કરવો પડ્યો છે.

અફઘાનિસ્તાનથી લઈને ઈરાન સુધીના ઇમિગ્રન્ટ્સ પડકાર બન્યા

એએફપીના અહેવાલ મુજબ, ઇમિગ્રેશન મંત્રી જોહાન ફોર્સેલે કહ્યું, "જે ઇમિગ્રન્ટ્સ 2026 પછી સ્વૈચ્છિક રીતે તેમના દેશમાં પાછા ફરશે, તેઓ 350,000 સ્વીડિશ ક્રોનર ($ 34,000) મેળવવા માટે પાત્ર બનશે." 1990ના દાયકાથી દેશે પૂર્વ યુગોસ્લાવિયા, સીરિયા, અફઘાનિસ્તાન, સોમાલિયા, ઈરાન અને ઈરાક જેવા સંઘર્ષગ્રસ્ત દેશોમાંથી ઘણા ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કર્યું છે. કહેવાય છે કે સ્વીડનને તેના સમાજમાં ઇમિગ્રન્ટ્સને એકીકૃત કરવામાં સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાની કમર ચીમાએ શું કહ્યું?

પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમાએ કહ્યું, "મુસ્લિમ ઇમિગ્રન્ટ્સે સ્વીડનમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જી છે. સીરિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાકથી જે મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ ત્યાં પહોંચ્યા છે, તેણે ત્યાં ખૂબ મોટી સમસ્યાઓ ઊભી કરી છે. જર્મનીએ સરહદ સીલ કરવાની વાત કરી છે. કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે આ લોકો 34 હજાર ડોલર પણ લઈ લેશે અને ફરીથી પાછા આવી જશે. મુસલમાનોએ આ લોકો સાથે ખોટું કર્યું. ત્યાં જઈને ગંદકી ફેલાવી. એવું નથી કે આ માત્ર સ્વીડનમાં કર્યું છે, આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં આવું કરે છે."

આવી દરખાસ્ત પછી ગયા વર્ષે દેશમાં આવતા અને સ્થાયી થનારા લોકો કરતા દેશ છોડીને જતા લોકોની સંખ્યા ઘણી વધારે હતી. આવું 50 વર્ષમાં પહેલીવાર બન્યું છે. ઈમિગ્રેશન મિનિસ્ટરના કહેવા પ્રમાણે, વિદેશમાં જન્મેલા લોકો સ્વીડન આવે છે પરંતુ અહીંના વાતાવરણને અનુકુળ થઈ શકતા નથી. આવી સ્થિતિમાં તે લોકોને દેશ છોડવાનો વારો આવશે. તમને જણાવી દઈએ કે આ ઓફર તે લોકો માટે છે જેમની પાસે પહેલાથી જ સ્વીડિશ પાસપોર્ટ છે.

આ પણ વાંચોઃ

Mini Moon: 29 સપ્ટેમ્બરથી આકાશમાં દેખાશે બે ચંદ્ર, અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ આખી દુનિયાને ચોંકાવી દીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ
અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ
અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ
અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget