શોધખોળ કરો

Turkiye Earthquake : દુશ્મની ભુલી ભૂકંપથી બેહાલ તુર્કી માટે મોદી સરકારે ખોલ્યો ખજાનો, PMOમાં ધમધમાટ

ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી રહી છે.

PMO Meeting On Turkiye Earthquake: તુર્કી ભયંકર ભૂકંપનો શિકાર બન્યું છે. તુર્કીમાં અત્યાર સુધીમાં તુર્કીમાં 1600થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે અને આ આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે. તુર્કીમાં અનેક ઈમારતો પણ જમીન દોસ્ત બની છે. સામાન્ય રીતે તુર્કી પાકિસ્તાનના પક્ષમાં જઈને કાશ્મીર, 370 સહિતના મુદ્દે ભારત વિરોધી વલણ અખત્યાર કરતું રહે છે. થોડા સમય પહેલા પણ ભારતના ઘઉં મંગાવીને તેને પોર્ટ પરથી જ પાછા મોકલી આપ્યા હતાં. તુર્કી ભારતનો સામનો કરવા પાકિસ્તાનને સબમરિન, યુદ્ધ જહાજ સહિતના ઘાતક હથિયારો પણ આપતુ રહે છે. પરંતુ ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંમ્બકમની ધારણાને ફરી એકવાર સાચી ઠેરવી છે અને દુશ્મનાવટ ભુલી મદદનો હાથ લંબાવ્યો છે. 

ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી રહી છે. આ સાથે દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રીને લઈને PMOમાં સોમવારે (6 ફેબ્રુઆરી) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આપત્તિમાં ભારત તરફથી શક્ય તમામ મદદની જાહેરાત કરાયા બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સાઉથ બ્લોકમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF, સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તેમજ મેડિકલ ટીમને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી પ્રજાસત્તાક મોકલવામાં આવશે.

ભારતે દુશ્મની ભુલી તુર્કી સામે લંબાવ્યો મદદનો હાથ
 
ભારતમાંથી મોકલવામાં આવી રહેલી ટીમમાં ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓની બે NDRF ટીમો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી માટે જવા માટે તૈયાર છે. જરૂરી દવાઓ, પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે.

આ લોકોએ PMOની બેઠકમાં આપી હાજરી

તુર્કી સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તાંબુલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સંકલનમાં ભારતીય તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવશે. પીએમઓની બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, એનડીએમએ, એનડીઆરએફ, સંરક્ષણ, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ભૂકંપમાં 500થી વધુ લોકોના થયા મોત
 
આજે સોમવારે સવારે 7.8-તીવ્રતાનો ઘાતક ભુકંપે તુર્કીને હચમચાવી નાખ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારોમાં તેમજ સીરિયામાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. માધ્યમોમાં જણાવ્યા અનુસાર તુર્કીમાં ઓછામાં ઓછા 1600થી પણ વધુ લોકોના મોત થયા છે અને લગભગ 2,300 લોકો ઘાયલ થયા છે. તુર્કીના 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget