શોધખોળ કરો

Turkiye Earthquake : દુશ્મની ભુલી ભૂકંપથી બેહાલ તુર્કી માટે મોદી સરકારે ખોલ્યો ખજાનો, PMOમાં ધમધમાટ

ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી રહી છે.

PMO Meeting On Turkiye Earthquake: તુર્કી ભયંકર ભૂકંપનો શિકાર બન્યું છે. તુર્કીમાં અત્યાર સુધીમાં તુર્કીમાં 1600થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે અને આ આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે. તુર્કીમાં અનેક ઈમારતો પણ જમીન દોસ્ત બની છે. સામાન્ય રીતે તુર્કી પાકિસ્તાનના પક્ષમાં જઈને કાશ્મીર, 370 સહિતના મુદ્દે ભારત વિરોધી વલણ અખત્યાર કરતું રહે છે. થોડા સમય પહેલા પણ ભારતના ઘઉં મંગાવીને તેને પોર્ટ પરથી જ પાછા મોકલી આપ્યા હતાં. તુર્કી ભારતનો સામનો કરવા પાકિસ્તાનને સબમરિન, યુદ્ધ જહાજ સહિતના ઘાતક હથિયારો પણ આપતુ રહે છે. પરંતુ ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંમ્બકમની ધારણાને ફરી એકવાર સાચી ઠેરવી છે અને દુશ્મનાવટ ભુલી મદદનો હાથ લંબાવ્યો છે. 

ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી રહી છે. આ સાથે દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રીને લઈને PMOમાં સોમવારે (6 ફેબ્રુઆરી) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આપત્તિમાં ભારત તરફથી શક્ય તમામ મદદની જાહેરાત કરાયા બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સાઉથ બ્લોકમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF, સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તેમજ મેડિકલ ટીમને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી પ્રજાસત્તાક મોકલવામાં આવશે.

ભારતે દુશ્મની ભુલી તુર્કી સામે લંબાવ્યો મદદનો હાથ
 
ભારતમાંથી મોકલવામાં આવી રહેલી ટીમમાં ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓની બે NDRF ટીમો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી માટે જવા માટે તૈયાર છે. જરૂરી દવાઓ, પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે.

આ લોકોએ PMOની બેઠકમાં આપી હાજરી

તુર્કી સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તાંબુલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સંકલનમાં ભારતીય તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવશે. પીએમઓની બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, એનડીએમએ, એનડીઆરએફ, સંરક્ષણ, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ભૂકંપમાં 500થી વધુ લોકોના થયા મોત
 
આજે સોમવારે સવારે 7.8-તીવ્રતાનો ઘાતક ભુકંપે તુર્કીને હચમચાવી નાખ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારોમાં તેમજ સીરિયામાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. માધ્યમોમાં જણાવ્યા અનુસાર તુર્કીમાં ઓછામાં ઓછા 1600થી પણ વધુ લોકોના મોત થયા છે અને લગભગ 2,300 લોકો ઘાયલ થયા છે. તુર્કીના 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ, પણ આ કારણે ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર નથી! ચીન-રશિયાના...
ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ, પણ આ કારણે ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર નથી! ચીન-રશિયાના...
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
Embed widget