શોધખોળ કરો
જો તમે આ બીમારીઓથી પીડાતા હોય તો ભૂલથી પણ ન ખાવુ જોઈએ પપૈયુ, જાણો
જો તમે આ બીમારીઓથી પીડિતા હોય તો ભૂલથી પણ ન ખાવુ જોઈએ પપૈયુ, જાણો

પ્રતિકાત્મક તસવીર
1/7

પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે. તેમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે. જો કે કેટલાક લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ.
2/7

પીળા, પાકેલા પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. સ્વાદ ઉપરાંત, તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. પપૈયામાં વિટામીન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું દરેક ઋતુમાં મળે છે. જો તમે આ રોજ ખાઓ તો મેદસ્વિતા નિયંત્રણમાં રહે છે. પપૈયા ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
3/7

ડાયાબિટીસ, હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું શરીર માટે સારું માનવામાં આવે છે.
4/7

કિડનીમાં પથરીના દર્દીઓએ પપૈયું ન ખાવું જોઈએ. જે લોકોને કિડનીની બિમારી હોય અથવા કિડનીમાં પથરી હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પથરીના દર્દી છો અને પપૈયુ ખાઓ છો તો તમારી સમસ્યા વધી શકે છે.
5/7

પપૈયા હૃદય રોગને નિયંત્રણમાં રાખવામાં ઘણી મદદ કરે છે. જેમના ધબકારા ઝડપી કે ધીમા હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. પપૈયામાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ જોવા મળે છે. જે એમિનો એસિડ જેવું હોય છે. આનાથી હૃદયના ધબકારાની સમસ્યા થઈ શકે છે.
6/7

પપૈયામાં લેટેક્ષ હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવું જોઈએ. આ પ્રી-ડિલિવરીનું જોખમ વધારે છે. પપૈયામાં પપૈન હોય છે જે કૃત્રિમ રીતે બોડી પ્રોસ્ટાગ્લાન્ડિનને કારણે લેબર પેઇન શરૂ કરી શકે છે.
7/7

જે લોકો એલર્જીથી પીડાય છે તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ. કાઈટિનસ લેટેક્સ સાથે ક્રોસ પ્રતિક્રિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
Published at : 29 Apr 2024 05:32 PM (IST)
આગળ જુઓ
Advertisement