શોધખોળ કરો
શું હોય છે Defective ITR? જો તમે આ ભૂલ કરી તો ભરવો પડશે ભારે દંડ
આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આવકવેરા રિટર્ન ભરતી વખતે વ્યક્તિએ ખૂબ કાળજી લેવી જોઈએ. નહિંતર, જો કોઈ ભૂલ હોય, તો તમારું ITR રિટર્ન ખામીયુક્ત હોઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો આવકવેરા રિટર્ન ખામીયુક્ત હોય, તો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. જો કે ખામીયુક્ત ITR સુધારવું સરળ છે. આ અંગે આવકવેરાની સૂચના આવે તો ચિંતા કરવાની જરૂર નથી. ચાલો જાણીએ કે તેને કેવી રીતે સુધારી શકાય.
2/6

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(9) હેઠળ, આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે. જો નામનો સ્પેલિંગ PAN અને ITR સાથે મેળ ખાતો નથી તો ITR ખામીયુક્ત હોઈ શકે છે. જો તમે ખોટો ચલણ નંબર, ખોટો આકારણી વર્ષ દાખલ કરો, ખોટું TDS રિટર્ન દાખલ કરો, તમારા 26AS, AIA અથવા TIS ફોર્મમાં કોઈપણ ખોટી માહિતી આપો તો તમારું ITR ખામીયુક્ત બની શકે છે.
Published at : 04 Jul 2023 06:09 AM (IST)
આગળ જુઓ





















