શોધખોળ કરો
આણંદઃ તારાપુર નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રકે ઇકો કારને અડફેટે લેતા 10 લોકોના ઘટનાસ્થળે જ મોત
ઈકો ટ્રક વચ્ચે અકસ્માત
1/4

આણંદના તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત થતા 10 લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતથી ભાવનગર પરિવાર જઈ રહ્યો હતો. તેને ઈંદ્રાજ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 10 લોકોના મોત થયાની માહિતી છે. અસ્કમાતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને પોલીસને જાણ કરતા સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
2/4

બનાવ અંગેની મળતી વધુ જાણકારી પ્રમાણે, કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારના ભુક્કો થઈ ગયો હતો અને કારમાં સવાર લોકો ચીસો પાડવા લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને મુસાફરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
Published at : 16 Jun 2021 08:33 AM (IST)
આગળ જુઓ





















