શોધખોળ કરો
Bharuch: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીથી તબાહી, 30થી વધુ લોકોનું સ્થળાંતર
Bharuch: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની હતી. ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું
1/6

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની હતી. ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજથી પસાર થતી નર્મદા નદીએ ભયજનક 26 ફુટની સપાટી વટાવીને 27 ફુટની ઉપર વહી રહી છે. નર્મદા નદીની જળસપાટી હજુ પણ વધવાની શક્યતા છે. જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. સંભવિત પૂર અને વરસાદની સ્થિતિને જોતા આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
2/6

આ તરફ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના કેબલ બ્રિજ પરથી પણ નર્મદા નદીના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. નર્મદા નદી ભયજનક સપાટીને પાર કરતા કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. તો અંકલેશ્વર અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. કડકીયા કોલેજ નજીક રસ્તા પર પાણીનો ધસમસતા પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થતા કેમેરામાં કેદ થયા હતા.
Published at : 05 Sep 2025 06:47 PM (IST)
આગળ જુઓ




















