શોધખોળ કરો
સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી, મુખ્યમંત્રીએ નાળિયેર અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કર્યા
Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચીને છલકાયો છે.
Sardar Sarovar Dam: 2017 માં રાષ્ટ્રાર્પણ થયા પછી આ 6ઠ્ઠી વખત છે જ્યારે જળાશય તેની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા (9,460 મિલિયન ઘન મીટર) સુધી ભરાયું છે.
1/6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રીના નવમા પવિત્ર દિવસે એકતા નગર ખાતે પહોંચીને, વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકમાતા નર્મદાના પાવન જળનું પૂજન કર્યું અને નાળિયેર-ચૂંદડી અર્પણ કરીને વધામણાં કર્યા હતા. પૂર્ણ જળસપાટીને કારણે ડેમના પાંચ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું.
2/6

મુખ્યમંત્રીએ આ અવસરે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી અને 31 ઓક્ટોબરે યોજાનારી સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ સિઝનમાં 302 કરોડ યુનિટ સહિત અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.
Published at : 01 Oct 2025 06:26 PM (IST)
આગળ જુઓ
Advertisement





















