શોધખોળ કરો
Jamnagar: ભારે વરસાદને પગલે જામનગર શહેર જળબંબાકાર, 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું
અનરાધાર વરસાદના કારણે જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા
જામનગર શહેર જળબંબાકાર
1/6

અનરાધાર વરસાદના કારણે જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતા તેઓને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
2/6

મૂશળધાર વરસાદથી જામનગર શહેરમાં જળંબબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રણજીતસાગર રોડ પર અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. લાલપુરમાં 8 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Published at : 27 Aug 2024 07:31 PM (IST)
આગળ જુઓ





















