શોધખોળ કરો
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
પ્રતિકાત્મક તસવીર
1/6

કેન્દ્ર સરકાર નકલી SMS, નકલી સ્પામ કોલ અને ઝડપથી વધી રહેલા સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે નવા પગલાં લઈ રહી છે. આ દરમિયાન, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ લોકોને છેતરપિંડીથી બચાવવા માટે એક નવો નિયમ રજૂ કર્યો છે. ટ્રાઈ દ્વારા સમગ્ર દેશમાં આજથી ટ્રેસીબિલિટીનો નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. ટ્રાઈએ Jio, Airtel, Vodafone Idea (Vi) અને BSNLને તેનો અમલ કરવા સૂચના આપી છે.
2/6

TRAIના નવા ટ્રેસેબિલિટી નિયમના અમલ પછી મોબાઇલ વપરાશકર્તાઓને આવતા OTP સંદેશાઓ સરળતાથી ટ્રૅક કરવામાં આવશે. જો અમે તમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવીએ, તો હવે જો તમારી સાથે કોઈપણ OTT દ્વારા છેતરપિંડી થાય છે તો ટેલિકોમ કંપનીઓ તે OTP સંદેશનો સ્ત્રોત શોધી શકશે. ટ્રાઈના જણાવ્યા અનુસાર, આ સાયબર ફ્રોડને રોકવામાં ઘણી મદદ કરી શકે છે.
Published at : 01 Dec 2024 01:04 PM (IST)
આગળ જુઓ





















