શોધખોળ કરો
રાજકોટઃ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, 50 ટકા માટી હોવાનો ખુલાસો
1/4

નોંધનીય છે કે બે મહિના અગાઉ પણ ગોંડલમાં મગફળી ભરેલા ગોડાઉનમાં શંકાસ્પદ રીતે આગ લાગી હતી. જેમાં 28 કરોડ રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ હતી. આ ઘટનામાં FSLના રિપોર્ટમાં વેલ્ડિંગ કરતી વખતે આગ લાગી હોવાનું કહીને તપાસ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. તે સિવાય એપ્રિલ મહિનામાં જામનગરમાં પણ ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળી ભરેલી 1,615 બોરીઓમાં આગ લાગી હતી.
2/4

આગ એટલી ભયાનક હતી કે ગોંડલ અને જેતપુરથી ફાયર ફાઇટર બોલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં રાજકોટ જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા અને જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે ટેકાના ભાવે ખરીદેલી મગફળી ભરેલા ગોડાઉનમાં જ વારંવાર આગ કેમ લાગે છે? એબીપી અસ્મિતાની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગોડાઉનમાં રાખવામાં આવેલી બોરીઓમાં 50 ટકા માટી હતી.
Published at : 07 May 2018 10:00 AM (IST)
View More





















