શોધખોળ કરો
મનોહરસિંહજી ‘દાદા’એ 1957માં ગુજરાત સામે રણજીમાં કેટલા રન ફટકાર્યા હતાં, જાણો વિગત
1/5

રાજકોટ: રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે ગુરૂવારે રાજકોટમાં જ તેના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ યાત્રામાં રાજવી પરિવાર સહિતના લોકો જોડાયા હતા. જોકે ક્રિકેટની રમતમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારોનું પણ ખૂબ જ યોગદાન રહ્યું છે.
2/5

મનોહરસિંહજી એક આતુર ક્રિકેટર હતા. 1955-56માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ગુજરાત સામે મનોહરસિંહજીએ પ્રથમ શ્રેણીની શરૂઆત કરી હતી. તેમણે પહેલી ઇનિંગમાં 59 રન ફટકાર્યા હતાં.
3/5

14 ફર્સ્ટ કલાસ મેચમાં દાદાએ એક શતક અને 4 અર્ધ શતકની મદદથી કુલ 614 રન કર્યા હતા. બોલિંગમાં પણ તેમણે પાંચ વિકેટ મેળવી છે.
4/5

જમણોરી બેટ્સમેન અને બોલર એવા દાદાએ 1957/58માં સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન તરીકે ટીમનું સુકાન સંભાળ્યું હતું. દાદાએ તેમની કપ્તાની હેઠળ 1957માં રમાયેલી ગુજરાત સામેની ફર્સ્ટ કલાસ મેચમાં શાનદાર 144 રન ફટકાર્યા હતા.
5/5

નવાગઢ, કાઠિયાવાડ અને બાદમાં સૌરાષ્ટ્ર તરીકે ક્રિકેટમાં ઉતરતી ટીમમાં અનેક રાજાઓએ ઉમદા પ્રદર્શન કર્યું છે. આવા જ એક રાજ પરિવારના ક્રિકેટર હતા રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા. દાદાના ઉપનામથી ઓળખાતા મનોહરસિંહજીએ સૌરાષ્ટ્રની ટીમ વતી 1955થી 1964 સુધીમાં 14 ફર્સ્ટ કલાસ મેચ રમ્યાં છે.
Published at : 28 Sep 2018 11:33 AM (IST)
View More




















