શોધખોળ કરો
રાજકોટમાં કારખાનાના માલિકે દલિત યુવકની ઢોરમાર મારી કરી હત્યા, પત્નિ-કાકીજીને પણ ફટકાર્યાં, જાણો વિગત
1/6

પતિને કારખાનામાં ગોંધી રાખ્યાની જાણ થતાં જ જયાબેન પરિવારજનો સાથે કારખાને પહોંચ્યા ત્યારે મુકેશભાઈ બેભાન સ્થિતિમાં મળી આવ્યા અને ત્યાંથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ શાપર પોલીસ રાજકોટ દોડી આવી હતી. જયાબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, રાદડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી ધસી આવેલા પાંચેક શખ્સોએ કચરો ઉપાડવાનું કહી જ્ઞાતિ પૂછી હતી અને જ્ઞાતિ જાણ્યા બાદ હડધૂત કરી મારમારવા લાગ્યા હતા.
2/6

પોલીસે હત્યા અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મૃતકના મામાના પુત્ર શંકરભાઇ દેવજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઇની હત્યાથી તેનો પરિવાર નોંધારો થઇ ગયો છે, સરકાર મૃતકના પરિવારજનોને આર્થિક સહાય તેમજ સરકારી મદદ નહી કરે ત્યાં સુધી લાશ સંભાળવામાં આવશે નહી.
Published at : 21 May 2018 09:45 AM (IST)
View More





















