શોધખોળ કરો
મારી પત્નિના મારા જ સગા સાથેના અફેરની ખબર પડી તેથી તેણે આપઘાત કર્યો, રાજકોટના યુવકનો દાવો
1/8

હીરલના પિતાનો આક્ષેપ છે કે કોઇએ તેમની દિકરીના નામે ફોન કરી કહ્યું હતું કે, 'પપ્પા જલ્દી આવો, ભાવિકે આપઘાત કરી લીધો છે.' અમે તાબડતોબ સુરતથી રાજકોટ આવ્યા ત્યારે જમાઇની નહિ, પણ અમારી દિકરીની લાશ જોવા મળી હતી! અમને ખોટો ફોન કરનાર મહિલા કોણ તેની પણ તપાસ કરો. બીજી તરફ પતિ ભાવિકે આક્ષેપ કર્યો છે કે હિરલને મારા પાટલાસાસુના દિયર સાથે આડાસંબંધ હતાં તેની મને જાણ થઇ જતાં તેણે આ પગલુ ભરી લીધુ હતું. હિરલની તેના પ્રેમી સાથેની વાતો પણ મારી પાસે રેકોર્ડ કરેલી છે. આ ઉપરાંત તેના આડા સંબંધના બીજા પુરાવા પણ મારી પાસે છે.
2/8

પ્રવિણભાઇએ એમ પણ કહ્યું હતું કે આપઘાત કરતાં પહેલાં હિરલે ચિઠ્ઠી લખી હોવાનું જમાઇ ભાવિક કહે છે પણ તેમાં હિરલની સહી નથી. આ ચિઠ્ઠી ખરેખર કોણે લખી તેની પણ તપાસ કરવી જોઈએ. હિરલ નબળા મનની નહોતી તે જોતાં તે આપઘાત કરે જ નહીં.
Published at : 30 Jun 2016 03:27 PM (IST)
Tags :
Woman SuicideView More





















