![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ?
ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ આગામી છ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે.
![અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ? IND VS WI: All team India's players have to reach in Ahmedabad on their own flight અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/18856009e3cab7a266b20aaf30a1834e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs WI Series Time Table : ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ આગામી છ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. વનડે સીરીઝની તમામ મેચો અમદાવાદમાં રામશે. વળી, ટી20 સીરીઝની તમામ મેચો કોલકત્તામાં રમાવવાની છે.
આ બધાની વચ્ચે સમાચાર છે કે, તમામ ખેલાડીઓએ 1લી ફેબ્રુઆરી સુધી અમદાવાદ પહોંચી જવાનુ છે. બીસીસીઆઇએ તમામ ખેલાડીઓને કહી દીધુ છે કે, કોરોનાના સમય હોવાથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેનમાં નહીં લઇ જવામાં આવે, તમામ ખેલાડીઓએ કૉમર્શિયલ એરલાઇન્સમાં જ અમદાવાદ પહોંચવાનુ રહેશે. આવુ કોરોનાના કારણે પહેલીવાર બન્યુ છે. ખાસ વાત છે કે તમામ ખેલાડીઓ અમદાવાદ પહોંચી જશે પરંતુ કેએલ રાહુલ નહીં હોય, આ તમામ ખેલાડીઓ અમદાવાદ પહોંચીને ત્રણ દિવસ માટે ક્વૉરન્ટાઇનમાં રહેશે અને ક્વૉરન્ટાઇનનો સમય પુરો થશે ત્યારે પ્રેક્ટિસ માટે મેદાનમાં આવશે.
વનડે સીરીઝ
પ્રથમ વનડે - 6 ફેબ્રુઆરી (અમદાવાદ)
બીજી વનડે- 9 ફેબ્રુઆરી (અમદાવાદ)
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી (અમદાવાદ)
ટી20 સીરીઝ
પ્રથમ ટી20 - 15 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
બીજી ટી20 - 18 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
ત્રીજી ટી20 - 20 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
ભારતીય વન-ડે ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન
ભારતીય ટી-20 ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.
વેસ્ટ ઇન્ડિઝની વનડે ટીમ
કીરૉન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, નક્રમાહ બોનર, ડેરેન બ્રાવો, શામરહ બ્રૂક્સ, જેસન હૉલ્ડર, શાઇ હૉપ (વિકેટકીપર), અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, નિકૉલસ પૂરન, કિમર રૉચ, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, હેડન વૉલ્થ જૂનિયર
આ પણ વાંચો........
'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે
ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી
Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર
જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ
Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)