શોધખોળ કરો
આજથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ, દર્શકોમાં ઉદાસિનતા, 10 ટકા ટિકિટો પણ ન વેચાઈ
1/3

આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ નિરંજન શાહે કહ્યું કે, બીસીસીઆઈના ફરમાન અનુસાર મેચની 10 ટકા ટિકિટો સ્કૂલના બાળકો માટે આરક્ષિત છે એટલે તે પણ મેચ જોવા માટે આવશે. જોકે, તેમ છતાં લોકોનો મેચ માટે રસ ન દાખવવો દુર્ભાગ્યપૂર્ણ છે.
2/3

નોંધનીય છે કે, આ મેચને લઈને રાજકોટવાસીઓમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. કારણ કે ટેસ્ટની માત્ર 10 ટકા જ ટિકિટો વેચાઈ છે. જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 25,000 દર્શકોની છે. ટેસ્ટ બાદ થનારી વન ડે સીરીઝના ફ્રી પાસ માટે એક બાજુ અનેક ક્રિકેટ સંઘોમાં ઘમાસાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં ટેસ્ટ મેચની ટિકિટો વેચવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે.
Published at : 04 Oct 2018 08:05 AM (IST)
View More





















