શોધખોળ કરો
સુરતમાં ઘરમાં ઘૂસી બિઝનેસમેનની હત્યા, નજીવી લૂંટના કારણે પેદા થઈ કેવી આશંકાઓ ? જાણો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 28 Jun 2016 12:26 PM (IST)
1/13

2/13

3/13

4/13

5/13

6/13

જો કે આ ઘટનામાં લૂંટારૂઓએ માત્ર પતિ પત્નીના સોનાના દાગીનાની જ લૂંટ ચલાવી હતી તેનાથી પોલીસ આશ્ચર્યમાં પડી છે. ઘરમાં બીજી પણ કિંમતી ચીજવસ્તુઓ હતી અને વધુ લૂંટ ચલાવી શકે તેમ હતાં છતાં નજીવી લૂંટ બાદ હત્યા કરતાં લૂંટારા હત્યાના ઈરાદે જ આવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
7/13

દિશીતનાં લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલાં વેલ્સી સાથે થયા હતાં. દિશીત વેલ્સીને દોઢ વર્ષની દીકરી પીયોના પણ છે. લુમ્સનું કારખાનું ચલાવતો દિશીત સુખી સંપન્ન હતો. સર્જન સોસાયટીમાં અત્યંત સુખીસંપન્ન પરિવારો જ રહે છે તેના પરથી જ પરિવારની સમૃધ્ધિનો ખ્યાલ આવે.
8/13

લૂંટારા પોતાની સાથે મરચાની ભુકી લઈને આવ્યાં હતાં પરંતુ લૂંટ કે હત્યામાં મરચાની ભુકીનો ઉપયોગ કરવાની જરૂર જણાઈ નહોતી તેથી જતી વખતે બાથરૂમમાં ફેંકીને જતાં રહ્યાં હતાં. લૂંટારૂઓએ બંગલામાં જતી વખતે ચહેરા પર બુકાની બાંધી હોવાનું જાણવા મળ્યું હતું.
9/13

દિશીત જરીવાલાનો પરિવાર વિદેશ ફરવા ગયો છે. આ વાતની હત્યારાઓને જાણ હતી તે સ્પષ્ટ છે. દિશીત ક્યારે ઘરે આવે છે અને જાય છે તે અંગે સમગ્ર જાણકારી મેળવીને લૂંટ ચલાવી હત્યા કરી હોઈ આ કોઈ જાણભેદુનું કામ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
10/13

દિશીતની હત્યા બાદ બાથરૂમમાં બંધ પત્નીએ કાચ તોડીને બુમાબુમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી તપાસતાં ખબર પડી હતી કે સાડા નવ વાગ્યાની આસપાસ લૂંટારૂઓ રિક્ષામાં આવીને પાછા ગયા હતાં. એ પછી ફરી દસ વાગે આવ્યા હતા.
11/13

લૂંટ બાદ લૂંટારૂઓએ દિશીતને ધક્કો મારીને બેડ પર પાડી દીધો હતો. અને માથાથી લઈ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારોના 8 ઘા મારીને કરપીણ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ દિશીતની કાર લઈને ભાગેલા લૂંટારૂઓએ 300 ફૂટ દૂર મલ્હાર એપાર્ટમેન્ટ સામે કાર છોડીને જતાં રહ્યાં હતાં.
12/13

આ ઘટનામાં ત્રણ લૂંટારૂએ બંગલાની ડોરબેલ વગાડતાં દિશીત બહાર આવ્યો હતો. તેના ગળા પર ચપ્પુ મૂકી લૂંટારૂં તેને ઉપર લઈ ગયા હતા. ત્યાં તેની પત્નિ-દીકરીને બાથરૂમમાં બંધ કરી લૂંટારૂઓએ સોનાની ચેઈન સહિતના દાગીનાની ચોરી કરી હતી.
13/13

સુરતઃ સુરતના પોશ મનાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પોશ સર્જન સોસાયટીમાં બંગલા નંબર 55Aમાં ત્રાટકેલા લૂંટારૂઓએ 26 વર્ષના બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી.
Published at : 28 Jun 2016 12:26 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
સુરત
Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
સુરત
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
સુરત
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
સુરત
Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો
ટ્રેન્ડિંગ સમાચાર






















