![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AC Using Tips: AC ચલાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, બેદરકારી તમારા ઘરમાં લગાવી શકે છે આગ
ભારતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવી રહ્યા છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની લૂથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
![AC Using Tips: AC ચલાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, બેદરકારી તમારા ઘરમાં લગાવી શકે છે આગ keep these things in mind while running ac a little carelessness will cause fire AC Using Tips: AC ચલાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, બેદરકારી તમારા ઘરમાં લગાવી શકે છે આગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/6fc5848eafd5e5d72634dfa3d0dc84681717041059120208_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવી રહ્યા છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની લૂથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં, ગરમીથી રાહત મેળવવા માટે એર કંડિશનર (AC) નો ઉપયોગ કરવો સામાન્ય છે. પરંતુ કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો જોખમ ઉભું કરી શકે છે. એસીનું પણ એવું જ છે. ઉનાળાની ઋતુમાં સતત એસી ચાલવાને કારણે આગ લાગવાનું જોખમ રહેલું છે. AC દર એકથી બે કલાકે 5 થી 7 મિનિટ માટે બંધ કરવું જોઈએ.
ગરમીમાં વધારો અને એસીનો ઉપયોગ વધવાથી એસીમાં આગ અને કોમ્પ્રેસર ફાટવાના બનાવો પણ વધી રહ્યા છે. નિષ્ણાંતોના મતે કાળઝાળ ગરમીની સાથે ACની યોગ્ય રીતે જાળવણી ન કરવાથી પણ આગ લાગવાની ઘટનાઓ વધી જાય છે. એસીનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એસીને અમૂક સમય બાદ બંધ કરવું પણ જરુરી બની જાય છે.
વોલ્ટેજ ઓછા હોવા અથવા સતત વધઘટ થાય તો મુશ્કેલી થઈ શકે છે
ખોટા ગેસનો ઉપયોગ.
AC ની અંદર કન્ડેન્સર પર ગંદકી અને ધૂળ સાફ કરવી જરુરી છે
એસી સતત ચાલુ રહે તો મુશ્કેલી થઈ શકે છે
ACમાંથી બહાર નીકળતી હવાના માર્ગમાં અવરોધ હોય તો આગ લાગી શકે છે
ભારે ગરમીના કારણે એસી ટ્રીપ થવાની ફરિયાદો વધી રહી છે. ઘણા લોકો કહે છે કે તેમનું AC બરાબર કામ નથી કરતું. કમ્પ્રેસર કામ નથી કરતું. સ્પ્લિટ હોય કે વિન્ડો AC, જ્યાં સુધી ACનું કોમ્પ્રેસર ચાલુ ન હોય ત્યાં સુધી ઠંડી હવા નહીં આવે. આવી સ્થિતિમાં, ACને વધુ ગરમ થવાથી બચાવવાની જરૂર છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉનાળામાં એસીનો સતત ઉપયોગ ન કરવો જોઈએ. વચ્ચે 5-10 મિનિટ માટે તેને બંધ કરી દેવુ જોઈએ. જો આમ ન કરવામાં આવે તો આગ લાગવાનું જોખમ રહેલું છે. તેનું કારણ એ છે કે ઉનાળામાં કોમ્પ્રેસર પણ ઝડપથી ગરમ થાય છે. તેને બંધ કર્યા વિના લાંબા સમય સુધી ચલાવવાથી તે વધુ ગરમ થવાનું અને આગ લાગવાનું જોખમ વધારે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)