શોધખોળ કરો

ભારતમાં WhatsApp ના 'Username' ફીચર પર પ્રતિબંધનો ખતરો: સરકારે 3 દિવસમાં મેટા પાસે માંગ્યો જવાબ

WhatsApp username feature India ban: સાયબર ક્રાઇમ વધવાની આશંકાએ કેન્દ્ર સરકારની લાલ આંખ; મેસેજિંગ પ્લેટફોર્મની જવાબદારી નક્કી થશે, WhatsApp નો દાવો- ફીચરથી પ્રાઇવસી મજબૂત થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે WhatsAppના યુઝરનેમ ફીચર સામે વાંધો ઉઠાવ્યો.
  • સાયબર ક્રાઇમ, છેતરપિંડીના જોખમથી મેટાને નોટિસ આપી.
  • WhatsAppએ યુઝર પ્રાઇવસી સુધારવા, છેતરપિંડી રોકવાનો દાવો કર્યો.
  • સરકાર ફીચરનું મૂલ્યાંકન કરશે; નવા જોખમોની શક્યતા.

WhatsApp username feature India ban: તાજેતરમાં લોન્ચ થયેલા લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ના નવા 'યુઝરનેમ' (Username) ફીચરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ભારત સરકારે આ ગોપનીયતા ફીચરથી સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકારે WhatsApp ની પેરેન્ટ કંપની 'મેટા' (Meta) ને નોટિસ ફટકારી છે અને આગામી 3 દિવસની અંદર આ નવા ફીચર અંગે વિસ્તૃત સ્પષ્ટતા માંગવામાં આવી છે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે યુઝર્સના મોબાઈલ નંબર છુપાવીને માત્ર યુઝરનેમ દર્શાવવાથી ઓળખની ચોરી અને ફ્રોડનું જોખમ વધી શકે છે.

પ્લેટફોર્મની જવાબદારી થશે નક્કી

સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના કોઈપણ નવા ફીચર કે પ્રોડક્ટનો દુરુપયોગ કૌભાંડો માટે ન થાય. જો 'યુઝરનેમ' ફીચર, મેસેજ એડિટિંગ ફીચર કે નકલી ગ્રુપ બનાવવા જેવા કોઈપણ માધ્યમથી છેતરપિંડી થશે, તો તેના માટે સીધી જવાબદારી મેસેજિંગ પ્લેટફોર્મની જ રહેશે અને તેમણે નિયમનકારી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકારે NEET પરીક્ષા દરમિયાન વિવાદમાં આવેલા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ (Telegram) પર પણ કડક કાર્યવાહી કરી હતી. ટેલિગ્રામના એડિટિંગ ફીચરના દુરુપયોગને કારણે સરકારે તેના પર પ્રતિબંધ મૂકવા જેવા આકરા પગલાં લીધા હતા.

આ પણ વાંચોઃ Jio અને Airtel કરતા ઘણો સસ્તો છે BSNLનો આ પ્લાન; અનલિમિટેડ કૉલિંગ સાથે મળશે રોજ 2GB ડેટા

WhatsApp ની દલીલ અને સુરક્ષાના દાવા

સરકારની આ નોટિસ અને ચિંતાઓ સામે WhatsApp દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

WhatsApp ના પ્રવક્તાનું નિવેદન: "યુઝરનેમ ફીચર ખાસ કરીને યુઝરની ગોપનીયતા (Privacy) ને વધુ મજબૂત કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે, તેને નબળી પાડવા માટે નહીં. આ ફીચરથી 'સિમ સ્વેપ' (SIM Swap) દ્વારા થતી લક્ષિત છેતરપિંડીને સંપૂર્ણપણે રોકી શકાશે."

કંપનીએ દાવો કર્યો છે કે પ્લેટફોર્મના દુરુપયોગને રોકવા માટે તેમણે અનેક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે. જેમાં નકલી એકાઉન્ટ શોધવાની સિસ્ટમ, યુઝરનેમના આધારે નવા સંપર્કો ઉમેરવાની મર્યાદા, વારંવાર યુઝરનેમનું અનુમાન લગાવવાના પ્રયાસો સામે રક્ષણ અને સેલિબ્રિટી કે સરકારી સંસ્થાઓના હાઇ-પ્રોફાઇલ નામોને અનામત (Reserve) રાખવા જેવી કડક વ્યવસ્થાઓ સામેલ છે.

આ પણ વાંચોઃ વીડિયો કોલ પર હવે હસવું પણ મોંઘું પડી શકે છે! ગૃહ મંત્રાલયે જાહેર કર્યું AI સ્કેમ એલર્ટ

MeitY દ્વારા થશે ફીચરનું મૂલ્યાંકન

WhatsApp નું આ યુઝરનેમ ફીચર વપરાશકર્તાઓને ગ્રુપ ચેટમાં તેમનો મોબાઈલ નંબર છુપાવીને માત્ર તેમની પસંદગીનું યુઝરનેમ દર્શાવવાની મંજૂરી આપે છે. આગામી અઠવાડિયામાં તેને સંપૂર્ણ રીતે રોલઆઉટ કરવામાં આવનાર હતું. જોકે, હવે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આ નવા ફીચરનું કડક મૂલ્યાંકન કરવામાં આવશે. સાયબર નિષ્ણાતોનું માનવું છે કે, આ નવું ફીચર ભલે ગોપનીયતા આપતું હોય, પરંતુ તે ઓળખની ચોરી અને નકલ (Impersonation) જેવા નવા જોખમો પણ ઊભા કરી શકે છે, જેને પહોંચી વળવા સરકાર સાવચેતીના પગલાં લઈ રહી છે.

Frequently Asked Questions

WhatsApp ના નવા યુઝરનેમ ફીચર અંગે ભારત સરકાર શા માટે ચિંતિત છે?

સરકારને ડર છે કે આ ફીચરથી સાયબર ક્રાઇમ, ઓળખની ચોરી અને ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં વધારો થઈ શકે છે, કારણ કે યુઝર્સના મોબાઈલ નંબર છુપાવવામાં આવશે.

ભારત સરકારે WhatsApp ના યુઝરનેમ ફીચર અંગે કયા પગલાં લીધા છે?

સરકારે WhatsApp ની પેરેન્ટ કંપની મેટાને નોટિસ ફટકારી છે અને આગામી 3 દિવસમાં ફીચર અંગે વિસ્તૃત સ્પષ્ટતા માંગી છે.

WhatsApp યુઝરનેમ ફીચર રજૂ કરવા પાછળ શું દલીલ કરે છે?

WhatsApp દાવો કરે છે કે આ ફીચર યુઝરની ગોપનીયતાને મજબૂત કરવા અને 'સિમ સ્વેપ' દ્વારા થતી લક્ષિત છેતરપિંડીને રોકવા માટે છે.

જો પ્લેટફોર્મના કોઈ ફીચરનો દુરુપયોગ થાય તો સરકાર કોને જવાબદાર ઠેરવશે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો 'યુઝરનેમ' ફીચર કે અન્ય કોઈપણ માધ્યમથી છેતરપિંડી થશે, તો તેની સીધી જવાબદારી મેસેજિંગ પ્લેટફોર્મની જ રહેશે.

Advertisement

ટોપ સ્ટોરી

WhatsApp નું નવુ ફીચર! Chat કરતા સમયે બદલાઈ જશે લુક, જાણો કઈ રીતે 
WhatsApp નું નવુ ફીચર! Chat કરતા સમયે બદલાઈ જશે લુક, જાણો કઈ રીતે 
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Advertisement

વિડિઓઝ

Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં 3 બાળકીના મોત
Nepal Flood Latest Update : નેપાળમાં મૃત્યુઆંક વધીને 903ને પાર
Mehsana Firing Case : મહેસાણા ફાયરિંગ કેસમાં ભાવેશ ઝીલિયા સહિત 4 સામે ફરિયાદ
Stock Market News : ભારતીય શેરબજારમાં કડાકો, સોનાના ભાવમાં પણ બોલ્યો કડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને પુતિન વચ્ચે યોજાઈ બેઠક: યુદ્ધ અંગે ભારતે રશિયાને આપી મોટી સલાહ
PM મોદી અને પુતિન વચ્ચે યોજાઈ બેઠક: યુદ્ધ અંગે ભારતે રશિયાને આપી મોટી સલાહ
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર સરકારે લીધો મોટો નિર્ણય, 13 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર સરકારે લીધો મોટો નિર્ણય, 13 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ
મોંઘવારીમાં રાહત: ખાંડના એક્સ-મિલ ભાવમાં 30% ઘટાડો, દુકાનોમાં અસર દેખાતા 10 દિવસ લાગશે
મોંઘવારીમાં રાહત: ખાંડના એક્સ-મિલ ભાવમાં 30% ઘટાડો, દુકાનોમાં અસર દેખાતા 10 દિવસ લાગશે
રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી ₹15 અને ₹22 ના ભાવે મળશે ખાંડ, તારીખ લંબાવાઈ
રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી ₹15 અને ₹22 ના ભાવે મળશે ખાંડ, તારીખ લંબાવાઈ
આવતીકાલનું હવામાનઃ 1 સપ્ટેમ્બરે દેશના 20 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ 1 સપ્ટેમ્બરે દેશના 20 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
મહેસાણામાં ગેંગવોર: ફાયરિંગની ફરિયાદ નોંધાવવા પહોંચેલા ભાવેશ જીલિયાની કારમાંથી મળ્યા હથિયાર
મહેસાણામાં ગેંગવોર: ફાયરિંગની ફરિયાદ નોંધાવવા પહોંચેલા ભાવેશ જીલિયાની કારમાંથી મળ્યા હથિયાર
યુદ્ધની વચ્ચે PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ વાટાઘાટો
યુદ્ધની વચ્ચે PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત, જાણો શું થઈ વાટાઘાટો
Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
Embed widget