શોધખોળ કરો

WhatsAppનું બેસ્ટ ફિચર, કરી જુઓ યૂઝ વધારે પડતા મેસેજથી સ્ટૉરેજ નહીં થાય ફૂલ, જાણો

Whatsapp અનુસાર, જ્યારે તમે Disappearing Messages ફિચરને ઇનેબલ (Enable) કરો છો તો તમને 24 કલાક, 7 દિવસ કે 90 દિવસના સમય સિલેક્ટ કરવાનો હોય છે.

WhatsApp Users: વૉટ્સએપ યૂઝર માટે સતત નવા ફિચર લાવે છે. આમાં યૂઝર્સને વધુ સુવિધાઓ મળે છે. વૉટ્સએપમાં Disappearing Messagesનુ એક ફિચર છે. આ ફિચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદ કરે છે. આને યૂઝરને પોતાના વૉટ્સએપના સેટિંગ્સમાં જઇને Enable કે Disable કરવુ પડે છે. આનો ફાયદો એ થાય  છે કે, તમારા મેસેજ એક ટાઇમ બાદ ઓટોમેટિકલી ડિલીટ થઇ જાય છે. આનાથી ફોનની મેમરી બચે છે, અને ફોન સ્લૉ નથી થતો. 

Whatsapp અનુસાર, જ્યારે તમે Disappearing Messages ફિચરને ઇનેબલ (Enable) કરો છો તો તમને 24 કલાક, 7 દિવસ કે 90 દિવસના સમય સિલેક્ટ કરવાનો હોય છે. આનો અર્થ તમે જે પણ ટાઇમ સિલેક્ટ કરશો તે પછી મેસેજ ઓટોમેટિકલી ફોનમાંથી ડિલીટ થઇ જશે. આ વાતને ધ્યાનમાં રાખો કે આ માત્ર તે જ મેસેજ પર લાગુ પડશે. જે આ સેટિંગ્સ બાદ મોકલવામાં આવશે કે રિસીવ કરવામાં આવશે. 

યૂઝર કોઇ ઇન્ડિવિડ્યૂઅલ ચેટ માટે પણ આને ઓન કે ઓફ કરી શકો છો. કોઇ ગૃપ ચેટ માટે પણ આમ કરી શકાય છે. આ ઉપરાંત કોઇપણ ગૃપ માટે એડમિન Disappearing Messages ફિચરને ઓન કે ઓફ કરી શકો છો જો કોઇ ગૃપ મેમ્બર કોઇ મેસેજને 24 કલાક, 7 દિવસ કે પછી 90 દિવસ સુધી નથી જોતો, તો ઓટોમેટિકલી ડિલીટ થઇ જશે. 

Iphone અને Androidમાં Disappearing Messages કઇ રીતે ઓન કરશો?

સૌથી પહેલા WhatsApp chat ઓપન કરો.
ત્યારબાદ નામ પર ટેપ કરો. 
આ પછી Disappearing Messages પર ટેપ કરો. 
આ પછી તમે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો ટાઇમ સિલેક્ટ કરી શકો છો. 

Iphone અને Androidમાં disappearing messages કઇ રીતે કરશો બંધ

આ ફિચરને ઓન કર્યા બાદ તે ચેટના મેસેજ ઓટોમેટિક ડિલીટ નહીં થાય. 
સૌથી પહેલા WhatsApp chat ઓપન કરો. 
ત્યારબાદ નામ પર ટેપ કરો. 
આ પછી Disappearing Messages પર ટેપ કરો, અને તેને બંધ કરી દો. 

Instagram : હેકર્સની હવે ખેર નહીં! Instagramનું હેક થયેલ એકાઉન્ટ્સ ચપટી વગાડતા જ આવશે પાછું

Instagram Feature : સોશિયલ મીડિયાની દુનિયામાં આજકાલ હેકિંગ તેમજ બનાવટી ફોટો મોટી સમસ્યા છે. ફોટો અને વિડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એ હેકર્સ માટે માઠા સમાચાર અને તેના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર આપ્યા છે. ઇન્સ્ટાગ્રામે કહ્યું છે કે તે હવે યુઝર્સને તેમના હેક થયેલા એકાઉન્ટની ઍક્સેસ ફરીથી મેળવવામાં મદદ કરશે. 

ઈન્સ્ટાગ્રામની આ નવી પોલિસીનો સીધો અર્થ એ છે કે, જો કોઈ કારણોસર તમારું Instagram એકાઉન્ટ હેક થઈ જાય, તો Instagram તમારું એકાઉન્ટ તમને પાછું આપવામાં તમારી સંપૂર્ણ મદદરૂપ બનશે. ઇન્સ્ટાગ્રામે પોતે જ એક બ્લોગ પોસ્ટમાં સત્તાવાર રીતે આ માહિતી આપી છે.

એકાઉન્ટ સમસ્યાનો રિપોર્ટ કરવા નવું ડેસ્ટિનેશન
 
ઇન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે, તેણે Instagram.com/hacked બનાવ્યું છે, જે વપરાશકર્તાઓ માટે એકાઉન્ટ એક્સેસ સમસ્યાઓની સીધી જાણ કરવા અને ઉકેલ લાવવા માટે એક નવું પ્લેટફોર્મ છે. જો યુઝર્સ તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં અસમર્થ હોય, તો તેમણે તેમના મોબાઇલ ફોન અથવા ડેસ્કટોપ બ્રાઉઝર પર Instagram.com/hacked પર જવું પડશે.

વપરાશકર્તાઓને હવે આવશ્યક છે (1. એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે, 2. પાસવર્ડ ભૂલી ગયા છો, 3. દ્વિ-પરિબળ પ્રમાણીકરણની ઍક્સેસ ગુમાવી દીધી છે, અથવા 4. જો તેમનું એકાઉન્ટ અક્ષમ કરવામાં આવ્યું છે) આ વિકલ્પોમાંથી એક પસંદ કરો. ત્યાર બાદ પ્લેટફોર્મ તેમને તેમના એકાઉન્ટ્સની ફરીથી ઍક્સેસ મેળવવામાં મદદરૂપ બનશે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસે સમાન માહિતી સાથે મલ્ટિપલ એકાઉન્ટ્સ છે, તો તેઓ જાણી શકશે કે કયા એકાઉન્ટને સપોર્ટની જરૂર છે.

ઇન્સ્ટાગ્રામનું નિવેદન

ઇન્સ્ટાગ્રામે કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે તમારા Instagram એકાઉન્ટની ઍક્સેસ ગુમાવવી તણાવપૂર્ણ હોઈ શકે છે, તેથી અમે ખાતરી કરવા માંગીએ છીએ કે જો લોકો ઍક્સેસ ગુમાવે તો તેમના એકાઉન્ટને પાછું મેળવવા માટે ઘણા વિકલ્પો છે. કંપની તમારી ઓળખ ચકાસવા અને તમારા એકાઉન્ટમાં પાછા આવવા માટે તમારા બે Instagram મિત્રોને પસંદ કરવાનો વિકલ્પ પણ આપે છે.

આ રીતે કામ કરશે નવું ફીચર

હવે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર હેકિંગને રોકવા માટે નવી પદ્ધતિઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ એવા એકાઉન્ટ્સને દૂર કરશે કે જે Instagram ની સ્વચાલિત સિસ્ટમ અયોગ્ય ગણે છે. આમાં એવા એકાઉન્ટ્સનો પણ સમાવેશ થશે જે અન્યના નામે નકલી એકાઉન્ટ ચલાવે છે અને ઇન્સ્ટાગ્રામની કોમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget