Hun To Bolish | હું તો બોલીશ | અગ્નિકાંડમાં વિલન કોણ?
Hun To Bolish | હું તો બોલીશ | રાજકોટનો અગ્નિકાંડ...જેમાં 28 લોકોના મૃત્યુ થયા છે....સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 13 લોકોના DNA મેચ થયા...આશાબેન કાથડનો પાર્થિવદેહ તેમના પરિવારને સોંપાયો...આશાબેન TRP ગેમ ઝોનમાં કામ કરતા હતા... તો ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનો DNA મેચ થયા બાદ તેમનો પાર્થિવદેહ પરિવારને સોંપાયો...વહેલી સવારે પરિવારે સત્યપાલસિંહના અંતિમ સંસ્કાર કર્યા...નાના પુત્રના અવસાનથી પરિવારમાં આક્રંદ ફેલાયો...તો 23 વર્ષીય સ્મિત વાળાનો પાર્થિવદેહ તેના પરિવારને સોંપાયો...ઉપલેટાનો રહેવાસી સ્મિત વાળા શુક્રવારે રાજકોટ આવ્યો હતો... અને શનિવારે ગેમ ઝોનમાં ગયો હતો...તેનો પાર્થિવદેહ ઉપલેટા લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરાયા....વીરપુરનો જિજ્ઞેશ ગઢવી... ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો... હજુ તો 20 દિવસ પહેલાં જ TRP ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો...ગેમ ઝોનમાં લાગેલી આગ ગઢવી પરિવારના એકના એક પુત્રને ભરખી ગઈ...પરિવારજનોના મતે, આગ લાગી એ સમયે જિજ્ઞેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો...જિજ્ઞેશની અંતિમક્રિયા વીરપુરના સ્મશાન ગૃહમાં કરાઈ..