Rajkot Accident: સીટી બસે 6 લોકોને ફંગોળ્યા, ત્રણના મોત | Abp Asmita | 16-4-2025
રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સીટી બસ બુધવારે કાળ બની આવી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. રફતારના કેરના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવતા લોકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરીને બારીઓના કાચ તોડી નાખ્યાં હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રોષ પ્રગટ કર્યો હતો.
રાજકોટ પૂરપાટ ઝડપે આવતી બસે 6 લોકોને અડફેટે લેતા 3નાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. આ ઘટના રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બની હતી. અકસ્માતમાં 3નાં મોત થયા, મૃતકોના પરિવજનો અને અન્ય રાહદારી રોષે ભરાયા હતા અને સીટી બસના કાચ તોડી નાખ્યા હતા. રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે પોલીસે દરમિયાનગીરી કરી તો લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું અને લોકો પોલીસ પર પણ રોષે ભરાયા હતા. ઘટનાના પગલે ઇન્દિરા સર્કલ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને સીટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે.





















