શોધખોળ કરો
નેપાળઃ એલ્ટીટ્યૂડ એરલાઇનનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, જાપાની નાગરિક સહિત 6નાં મોત
1/3

અધિકારીઓના જણાવ્યા મુજબ, હેલિકોપ્ટર 5500 ફૂટની ઊંચાઈ પરથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર રાજકુમાર છેત્રીએ જણાવ્યું કે, હેલિકોપ્ટર શનિવારે સવારે 8.10 કલાકે લેન્ડ થવાનું હતું. આ પહેલા નેપાળમાં મકાલુ એરલાઇન્સનું કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બે પાયલટનો મોત થયા હતા.
2/3

હેલિકોપ્ટરે ગોરખા જિલ્લાથી કાઠમાંડુ જવા માટે ઉડાન ભરી હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ સંપર્ક તૂટી ગયો હતો. એલ્ટીટ્યૂડ એર પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નીમા નુરુ શેરપાએ જણાવ્યું કે મૃતકોમાં એક જાપાની પર્યટક અને પાંચ નેપાળી નાગરિકો સામેલ છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ પણ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની વાતને સમર્થન આપ્યું છે.
Published at : 08 Sep 2018 06:36 PM (IST)
View More




















