![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Akshaya Tritiya 2022:અક્ષય તૃતિયા ક્યારે છે, જાણો શું છે તેનું મહત્વ, તિથિ અને શુભ મૂહૂર્ત
અક્ષય તૃતીયાનો દિવસ હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે આવે છે. આ દિવસ શુભ કાર્યો કરી શ્રેષ્ઠ મનાય છે.
![Akshaya Tritiya 2022:અક્ષય તૃતિયા ક્યારે છે, જાણો શું છે તેનું મહત્વ, તિથિ અને શુભ મૂહૂર્ત Aakshaya Tritiya 2022 know why celebrate akshaya Tritiya date shubh muhurat and significance Akshaya Tritiya 2022:અક્ષય તૃતિયા ક્યારે છે, જાણો શું છે તેનું મહત્વ, તિથિ અને શુભ મૂહૂર્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/20/75f5e49d2b1e09ab99515663bb0f3441_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Akshaya Tritiya 2022:અક્ષય તૃતીયાનો દિવસ હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે આવે છે. આ દિવસ શુભ કાર્યો કરી શ્રેષ્ઠ મનાય છે.
અક્ષય તૃતીયાનો દિવસ હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે શુભ કાર્યો માટે શ્રેષ્ઠ મનાય છે. તેને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયા 3 મે, 2022ના રોજ આવી રહી છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. એટલું જ નહીં આ દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આપણે શા માટે અક્ષય તૃતીયા ઉજવીએ છીએ, તે કઇ તારીખે આવશે અને તેનું શુભ મૂહૂર્ત શું છે
અક્ષય તૃતિયાનું શુભ મુહૂર્ત
- અક્ષય તૃતિયા તિથિ શરૂ થાય છે - 3 મે સવારે 5:19 કલાકે
- અક્ષય તૃતીયા તિથિ સમાપ્તિ - 4 મે થી સવારે 7.33 સુધી.
- રોહિણી નક્ષત્ર- 3 મે સવારે 12:34 થી શરૂ થશે અને 4 મેના રોજ સવારે 3:18 સુધી સમાપ્ત થશે.
અક્ષય તૃતિયાનું મહત્વ
અક્ષય તૃતિયાનો દિવસ શુભ અને માંગલિક કાર્યો માટે શુભ છે. આ દિવસે અબુજા મુહૂર્ત ઉજવવામાં આવે છે. લગ્નની સાથે સાથે કપડા, સોના-ચાંદીના ઘરેણાં, વાહન, સંપત્તિ વગેરેની ખરીદી પણ આ દિવસે શુભ માનવામાં આવે છે. આ દિવસે દાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અક્ષયા તૃતિયાના દિવસે દાન કરીને ધન અને ધાન્યમાં વૃદ્ધિના આશિષ મેળવી શકાય છે.
આ કારણે છે અક્ષય તૃતિયાનું મહત્વ
અક્ષય તૃતીયાની ઉજવણી વિશે ઘણી માન્યતાઓ છે. ચાલો શોધીએ કેમ છે આ દિવસનું અનેરું મહત્વ.
- એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. આ દિવસે અક્ષય તૃતીયા સાથે પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે.
- આ સાથે જ એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા.
- એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. તેથી આ દિવસે રસોડા અને અનાજની પૂજા કરવી જોઈએ.
- અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શંકરે કુબેરજીને મા લક્ષ્મીની પૂજા કરવાનું કહ્યું હતું. તેથી, આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે.
- એવું માનવામાં આવે છે કે નર-નારાયણ પણ અક્ષય તૃતીયાના દિવસે અવતર્યા હતા.
- મહાભારત અનુસાર, આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષય પત્રો આપ્યા હતા. અક્ષય પાત્ર ક્યારેય ખાલી નથી થતું. તે હ હંમેશા ધાન્યથી ભરેલા રહે છે.. જેના કારણે પાંડવોને ભોજન મળતું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)