શોધખોળ કરો
રિલાયન્સના આ શેરમાં રોકાણકારોના એક જ ઝાટકે કરોડો ડૂબ્યા, સ્ટોક 50%થી વધુ તૂટ્યો
1/3

અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપનીના નિર્દેશક મંડળે શુક્રવારે દેવાથી નિકળવા યોજનાની સમીક્ષા કરી હતી. જે ભાગરૂપે કંપનીએ શુક્રવારે બેન્કકરપ્સીની અરજી પણ દાખલ કરી દીધી છે. મોટાભાઈ મુકેશ અંબાણીની નવી કંપની રિલાયન્સ જિયોની એન્ટ્રીથી ટેલીકોમ સેક્ટરમાં જાણેકે ભૂકંપ આવ્યો છે. આ જ કારણે RComનો વાયરલેસ કારોબાર ઠપ્પ થઈ ગયો છે. માર્ચ 2017 સુધીમાં બેન્કોનું દેવુ 7 અબજ ડૉલર હતુ.
2/3

Rcomના શેરોમાં સોમવારે 54.3 ટકાનો કડાકો બોલ્યો અને એક શેરની કિંમત 5.3 રૂપિયા થઈ ગઈ. શુક્રવારે માર્કેટ બંધ થયુ ત્યાં સુધીમાં તો RComના શેરોમાં 19.4 ટકાનો કડાકો બોલ્યો હતો. કારોબારની શરૂઆતમાં 45 મિનિટમાં તો RComના 12 કરોડ શેરો રોકાણકારોએ વેચી નાંખ્યા. બપોરે 12:15 થોડી રિકવરી જોવા મળી અને સેન્સેક્સ અને નિફ્ટી પર કંપનીના શેરોમાં 36 ટકાનો કડાકો નોંધાયો.
Published at : 04 Feb 2019 02:31 PM (IST)
View More





















